દિલ્હીમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે જે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. મહારાષ્ટ્ર સરકાર દિલ્હીમાં વધતા કેસને જોતા ફ્લાઈટ અને ટ્રેન સેવાને જોતા મોટો નિર્ણય લઇ શકે છે.
દિલ્હીમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
મહારાષ્ટ્ર સરકાર બંધ કરી શકે છે દિલ્હી-મુંબઈ ફ્લાઈટ-ટ્રેન સેવા
મહારાષ્ટ્રમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ કરવામાં આવશે
મહારાષ્ટ્ર સરકાર લેશે મોટો નિર્ણય
દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેની સામે કેન્દ્ર અને રાજ્યની સરકારની ચિંતામાં વધારો થયો છે. એવામાં હવે મહારાષ્ટ્ર સરકાર દિલ્હીમાં વધતા કોરોના વાયરસના કેસને જોતા દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ અને ટ્રેન સેવાને બંધ કરી શકે છે. જેના માટે આદેશ પણ જાહેર કરવામાં આવી શકે છે.
ભારતમાં કેટલાય શહેરોમાં કોરોનાની બીજી લહેર
ભારતમાં શિયાળો શરુ થઇ ગયો છે અને તહેવારો બાદ હવે ફરીથી કોરોના વાયરસના કેસની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કેટલાય મહિના સુધી લોકડાઉન રહ્યું અને તે બાદ ધીમે ધીમે અનલોક કરવામાં આવ્યું .અનલોકની પ્રક્રિયામાં શાળા અને કોલેજો પણ ખોલી દેવાના નિર્ણય લેવામાં આવ્યા. પરંતુ હવે મોટા ભાગના રાજ્યોમાં સરકારે પીછેહઠ કરવાની ફરજ પડી રહી છે.
શાળાઓ બંધ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા પ્રભાવના કારણે હવે શાળાઓ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. BMC તરફથી નવા આદેશ જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર મુંબઈમાં આગામી 31 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ રોકાવાનું નામ નથી લઇ રહ્યો જેના કારણે અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 79,738 પહોંચી ગઈ છે. પુણેમાં કોરોનાની સૌથી વધારે અસર જોવા મળી રહી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં પણ કોરોના વાયરસને જોતા 23 નવેમ્બરથી શાળાઓ ખોલવાનો જે નિર્ણય કર્યો હતો તેને પાછો ખેંચી લેવામાં આવ્યો છે જ્યારે અમદાવાદમાં તો બે દિવસ સુધી કર્ફ્યું કરી દેવાની ફરજ પડી છે.