કેન્દ્ર સરકાર દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ એરપોર્ટમાં પોતાની ભાગીદારી વેચવાની યોજના તૈયાર કરી રહી છે.
દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ એરપોર્ટમાં પોતાની ભાગીદારી વેચશે
એરપોર્ટ્સમાં સરકાર પોતાની બાકી બચેલી ભાગીદારી પણ વેચશે
13 અન્ય એરપોર્ટના ખાનગીકરણની પણ તૈયારી
કેન્દ્ર સરકારે સંપત્તિઓનું વેચાણ કરીને 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના તૈયાર કરી છે. આ હેઠળ આ એરપોર્ટ્સમાં સરકાર પોતાની બાકી બચેલી ભાગીદારી પણ વેચવા ઇચ્છી રહી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટ્સનું પહેલાથી જ ખાનગીકરણ થઇ ચૂક્યું છે અને તેમાં એરપોર્ટ ઓથોરિટી (AAI)ના માધ્યમથી સરકારની આંશિક ભાગીદારી હજુ બચેલી છે.
13 અન્ય એરપોર્ટના ખાનગીકરણની પણ તૈયારી
ગત મહિને સચિવોની અધિકાર પ્રાપ્ત સમિતિની થયેલી ચર્ચામાં આના પર વિચાર કરવામાં આવ્યો. આ ચર્ચાથી અવગત 2 લોકોએ જણાવ્યું કે આ ચારેય એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)ની બાકી ભાગીદારી વેચવાની સાથે જ 13 એરપોર્ટના ખાનગીકરણની પણ તૈયારી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ એરપોર્ટનું સંચાલન કરી રહેલા સંયુક્ત સાહસોમાં AAIની ઇક્વિટી ભાગીદારીના વિભાજન માટે અપેક્ષિત મંજૂરી પ્રાપ્ત કરશે. તેમણે કહ્યું કે, આ મુદ્દો આગામી કેટલાક દિવસોમાં મંજૂરી માટે મંત્રિમંડળની પાસે જવાની સંભાવના છે.