હવે દિલ્હી-NCRમાં મુસાફરી કરવી સરળ બનશે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેના નિર્માણ બાદ હવે NCRના લોકોને દેશની પ્રથમ રિજનલ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ની સુવિધા મળવા જઈ રહી છે. આ હાઈ સ્પીડ ટ્રેન 100 કિમી પ્રતિ કલાકની ઝડપે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે.
ટ્રેનમાં હવાઈ મુસાફરીનો અહેસાસ થશે
દિલ્હી-મેરઠ હાઈ સ્પીડ ટ્રેનમાં બેસીને તમને હવાઈ મુસાફરી જેવું લાગશે. ટ્રેનની અંદર વિમાનની જેમ બેઠક વ્યવસ્થા હશે. ટ્રેનમાં કુલ 6 કોચ હશે, જે આગામી સમયમાં વધારીને 9 કરવામાં આવી શકે છે. આમાંથી એક કોચ સંપૂર્ણ રીતે પ્રીમિયર ક્લાસનો હશે. આ ટ્રેનમાં એક સમયે કુલ 1500 મુસાફરો મુસાફરી કરી શકશે.દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને માર્ચ 2023 માં સાહિબાબાદથી દુહાઈ સુધી આ પ્રથમ પ્રાદેશિક ટ્રેન ચલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એક કલાકમાં દિલ્હીથી મેરઠ પહોંચાડશે
દિલ્હીથી મેરઠનું અંતર લગભગ 82 કિલોમીટર છે. જેને બસ દ્વારા કવર કરવામાં 2 કલાકથી વધુ સમય લાગે છે. જ્યારે હાઇ સ્પીડ ટ્રેનથી માત્ર એક કલાકથી ઓછા સમયમાં આટલુ અંતર કાપી શકાશે. આ ટ્રેન તમને મેટ્રો જેવી સુવિધા સાથે ત્રણ ગણી સ્પીડથી ગંતવ્ય સ્થાન પર લઈ જઈ શકશે.
[RRTS Updates] India's first semi high-speed RRTS trainset prototype arrived at Duhai Depot of Delhi-Meerut RRTS Corridor. This prototype train is manufactured and supplied by @AlstomIndia and will be deployed on the smart lines.#RRTS#NCRTC#MetroRailTodaypic.twitter.com/qkM23YqlBz
NCRTCના એમડી વિનય કુમાર સિંહે કહ્યું કે દિલ્હી-મેરઠ હાઈ સ્પીડ ટ્રેનમાં બીમાર દર્દીઓ માટે સ્ટ્રેચર રાખવાની જગ્યા પણ હશે. આ સાથે લેપટોપ અને મોબાઈલ ચાર્જિંગ માટે સિંગલ ચાર્જિંગ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે, જે દરેક સીટ પર ઉપલબ્ધ હશે. દરેક કોચમાં મોટા અરીસા લગાવવામાં આવ્યા છે જેથી મુસાફરો બહારનો નજારો જોઈ શકે. આ રેપિડ રેલનું સ્ટેશન પણ એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે કે બીમાર લોકોનું સ્ટ્રેચર રેપિડ રેલ કોચ સુધી સરળતાથી પહોંચી શકે.આ ટ્રેનમાં લોકોને ફ્રી વાઈ-ફાઈની સુવિધા પણ મળશે.
ગુજરાતમાં બની રહી છે હાઇસ્પીડ ટ્રેન
આ ટ્રેન સંપૂર્ણપણે વીજળી પર ચાલશે. જેના કારણે NCRમાં પ્રદૂષણની સ્થિતિ અને રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા પણ ઓછી થશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર પર ચાલતી ટ્રેન ગુજરાતના સાવલીમાં બનાવવામાં આવી રહી છે. આવી 40 ટ્રેનોનું નિર્માણ ત્યાં ચાલી રહ્યું છે. આ વર્ષે આ ટ્રેનોને ટ્રાયલ રન માટે દિલ્હી લાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 30,274 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
પાંચ સરકારોએ એક કંપની બનાવી
કેન્દ્ર સરકાર, દિલ્હી, હરિયાણા, યુપી અને રાજસ્થાન સરકારોએ દિલ્હી-એનસીઆરમાં કનેક્ટિવિટી સુધારવા માટે નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કમિશન (NCRTC) ની સ્થાપના કરી છે. આ કોર્પોરેશને પ્રાદેશિક જોડાણ માટે 3 કોરિડોર બનાવવાનું નક્કી કર્યું છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર (82 કિમી) પર કામ કરવામાં આવી રહ્યું છે. બીજા તબક્કામાં, દિલ્હી-ગુરુગ્રામ-અલવર (164 કિમી) કોરિડોર અને દિલ્હી-પાનીપત કોરિડોર (103 કિમી) પર કામ થવાનું છે. આ બંને કોરિડોરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.