રાજધાની દિલ્હી એમસીડી ચૂંટણી 2022માં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના વીડિયો બાદ ભાજપે હવે આમ આદમી પાર્ટીને નિશાન બનાવવા માટે નવો દાવ લગાવ્યો છે.
દેશની રાજધાનીમાં MCD ચુંટણીનેલાઈ તનતોડ મહેનત
BJP નેતાએ AAP અને કોંગ્રેસ સામે નિશાન સાધ્યું હતું
દિલ્હીના ઘણા વોર્ડ પાકિસ્તાન બની ગયા હોવાનું નિવેદન
દેશની રાજધાની દિલ્હી એમસીડીની ચૂંટણી થઇ રહી છે જેના લીધે મુખ્ય બે પાર્ટીઓ આમને સામને છે. હાલ આપ અને ભાજપ આ ચુંટણી માટે તનતોડ મહેનત કરી રહી છે ત્યારે, દેશની રાજધાની દિલ્હી એમસીડી ચૂંટણી 2022માં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના વીડિયો બાદ ભાજપે હવે આમ આદમી પાર્ટીને નિશાન બનાવવા માટે નવો દાવ લગાવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે કોંગ્રેસની તુષ્ટિકરણ અને ઝાડુની કચરાની નીતિને કારણે અહીંના નાના-નાના વોર્ડ પાકિસ્તાન બની ગયા છે, પરંતુ આપણે તેમનાથી ડરવાની જરૂર નથી.
AAP સરકાર પર પ્રહાર
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે અમે એક થઈને પાકિસ્તાનનો નાશ કરીશું અને ત્યાં ત્રિરંગો લગાવીશું. વિજયવર્ગીયએ કહ્યું કે દિલ્હીના મતદારોને એ અહેસાસ કરાવવો જોઈએ કે અમે આ નાનકડા પાકિસ્તાનથી ડરવાના નથી. AAP-કોંગ્રેસ પર કટાક્ષ કરતા વિજયવર્ગીયએ કહ્યું, "દિલ્હીમાં ટુકડા કરી દીધા, ઉદયપુરમાં ગરદન કાપી નાખી... જો તમારામાં હિંમત હોય તો તેમને યુપીમાં કરીને બતાવો, તેઓ તમારી સાત પેઢીઓ યાદ કરાવશે." જણાવી દઈએ કે બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય દિલ્હીની શ્રી રામ કોલોનીમાં પ્રચાર કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે લોકોને સંબોધિત કરતા આ વાત કહી.
'તેમને મત માંગવાનો અધિકાર નથી'
નોંધનીય છે કે 24 નવેમ્બરે બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે "ઝાડુછપ" અને "ચાવનીછપ" જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જેએનયુમાં સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવનારા અને ભારત વિરોધી નારા લગાવનારાઓને વોટ માંગવાનો અધિકાર નથી.
અમે માત્ર હિન્દુઓનો પક્ષ નથી
બુરારીમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બેઠકમાં તેમણે કહ્યું કે, ભાજપ પર આરોપ છે કે તે હિન્દુઓની પાર્ટી છે, પરંતુ "અમે હિન્દુઓની પાર્ટી નથી, અમે બધા લોકોની પાર્ટી છીએ." તેમણે કહ્યું કે અમે દેશના તમામ 130 કરોડ લોકો માટે કામ કરીએ છીએ. પીએમ મોદીનું સૂત્ર 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંનેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પણ પાકિસ્તાન-સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ છે
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે અરવિંદ કેજરીવાલને 'નમુનો' ગણાવ્યા અને તેમના પર આતંકવાદ અને ભ્રષ્ટાચારને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. યોગીએ કહ્યું, "આજકાલ ગુજરાતની મુલાકાતે આવનાર આમ આદમી પાર્ટીનો એક 'નમૂનો' આતંકવાદનો સાચો શુભચિંતક છે. તેણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પણ વિરોધ કર્યો હતો. તેમણે આપણા બહાદુર સૈનિકો પાસેથી પુરાવા માંગ્યા હતા, જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 'સર્જિકલ સ્ટ્રાઈક' કરી હતી.
4 ડિસેમ્બરે મતદાન, 7ના રોજ પરિણામ
ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે યોજાનારી MCD ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે MCDમાં 250 સીટો જીતવાનો દાવો કર્યો છે. બીજી તરફ MCDમાં છેલ્લા 15 વર્ષથી શાસન કરી રહેલી ભાજપે ફરી જીતનો દાવો કર્યો છે. MCD ચૂંટણીના પરિણામો 7 ડિસેમ્બરે આવશે