દિલ્હીના મૌજપુરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) નો વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો અને સમર્થક સામ સામે આવી ગયા છે. બંને તરફ પથ્થરમારો કરવામાં આવ્યો અને ઘણી ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમા યુવક હાથમાં તમંચો લઇને ફાયરિંગ કરી રહ્યો છે. મૌજપુરથી જાફરાબાદ જતા રસ્તા પર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં મૌજપુરમાં સ્થિતિ તણાવપૂર્ણ
હિંસા દરમિયાન એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું મોત
ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીવાસીઓને શાંતિની અપીલ કરી
વીડિયોમાં મૌજપુરથી જાફરાબાદ વાળા રસ્તા પર એક યુવક હાથમાં તમંચો લઇને ફાયરિંગ કરતો જોવા મળ્યો. આ યુવક પોલીસની સામે ફાયરિંગ કરી રહ્યો હતો. યુવકે લગભગ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસ જવાનોએ યુવકને રોકવાની કોશિશ કરી પરંતુ તે ન રોકાયો અને એક પછી એક ફાયરિંગ કરતો રહ્યો. આ દરમિયાન મૌજપુરમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત પણ થયું છે.
Delhi: A clash broke out between two groups in Maujpur area, today. Ved Prakash Surya DCP (North-East) says, "We have spoken to both sides, now the situation is calm. We are continuously speaking to people, now the situation is under control". pic.twitter.com/kSPSFUYCHQ
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીવાસીઓને શાંતિની અપીલ કરી છે. તેઓએ ટ્વિટ કરી કહ્યું કે તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ બનાવી રાખે. હિંસાથી સૌનું નુકશાન છે. હિંસાની આગ સૌને એવુ નુકશાન પહોંચાડે છે જેની ભરપાઇ ક્યારેય થઇ શકતી નથી.
सभी दिल्लीवासियों से अपील है कि शांति बनाए रखें. हिंसा में सबका नुक़सान है. हिंसा की आग सबको ऐसा नुक़सान पहुँचाती है जिसकी भरपाई कभी नहीं हो पाती.
મૌજપુરમાં CAA સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ગઇ કાલની હિંસા બાદ આજે ફરી બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. સવારે 11 વાગ્યે શરૂ થયેલો હંગામો બપોરે લગભગ 2 વાગ્યા સુધી જોવા મળ્યો. હાલ તો બંને પક્ષો વચ્ચે પથ્થરમારો બંધ થયો છે.
પેરામિલિટ્રી ફોર્સ તહેનાત
મૌજપુરમાં નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધ કરનાર લોકો વચ્ચે ઘર્ષણને પગલે સ્થિતિ એટલી બેકાબૂ બની ગઇ, જે બાદ પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. આખા વિસ્તારમાં પેરામિલિટ્રી ફોર્સ ઉપરાંત દિલ્હી પોલીસના જવાન તહેનાત છે પરંતુ હજુ ટોળુ ત્યાં હાજર છે.
કપિલ મિશ્રાની વિરુદ્ધ ફરિયાદ
CAAની વિરુદ્ધ રવિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન જાફરાબાદ, મૌજપુર અને દયાલપુરમાં થયેલી હિંસા મામલામાં પોલીસે 4 FIR નોંધી છે. રવિવારે અલગ-અલગ વિસ્તારોમાં થયેલી હિંસક અથડામણમાં 10 પોલીસ કર્મીઓ સહિત એક નાગરિક ઘાયલ થયો હતો.
તેની સાથે બીજેપીના નેતા કપિલ મિશ્રાની વિરુદ્ધ કાલે જાફરાબાદમાં ભડકાઉ ભાષણ આપવા અને હિંસા ભડકાવવાના આરોપમાં જાફરાબાદ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ કડકડડૂમા કોર્ટના 6 વકીલો દ્વારા નોંધવામાં આવી છે.