દેશની રાજધાની દિલ્હીમાં માર્કેટ્સને ફરીથી બંધ કરી શકાય છે. ગત કેટલાક દિવસોમાં સતત વધતા મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી શકે છે. મંગળવારે સીએમએ કહ્યું કે જો ભીડભાડ ઓછી ન થઈ તો બજાર બંધ કરવાની પરવાનગી માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે.
સરકારએ બજારોને થોડાક દિવસો માટે બંધ કરી શકે છે જ્યાં...
જ્યાં કોરોના પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવતું નથી ત્યાં
બજાર બંધ કરવાની પરવાનગી માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે
સીએમએ કહ્યું કે કે હકિકતમાં દિલ્હીમાં મામલા વધી રહ્યા છે. તેવામાં અમે કેન્દ્ર સરકારને સમાન્ય પ્રસ્તાવ મોકલી રહ્યા છીએ કે જો જરુર હોય તો દિલ્હી સરકારએ બજારોને થોડાક દિવસો માટે બંધ કરી શકે છે. જ્યાં કોરોના પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવતું નથી અને તે સ્થાનીક હોટ સ્પોર્ટ બની રહ્યો છે.
કેજરીવાલે કહ્યું કે 750 આઈસીયૂ બેડ વધારી દિલ્હીવાસીઓની મદદ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનો આભારી છું. તમામ સરકારો અને એજન્સીઓએ કોરોનાને નિયંત્રિત કરવા માટે પોતાના પ્રયત્નોને બે ગણા કરી દીધા છે. પરંતુ આ ત્યાં સુધી શક્ય નહીં થાય જ્યાં સુધી સાવધાની નહીં વર્તવામાં આવે. હું તમામને માસ્ક પહેરવા માટે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા માટે અપીલ કરુ છુ.