મધ્ય પ્રદેશના કટની જીલ્લામાં શનિવાર રાત્રે ટ્રેન અકસ્માતની ઘટના બન્યાના સમાચાર સામે આવ્યા છે. કટની-ચોપન પેસેન્જર ટ્રેન કટની જીલ્લાના સહલાના અને પિપરિયાકલાની નજીક આ અકસ્માત બન્યો છે. આ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જો કે આ ઘટનામાં તાજેતરમાં મળેલ આંકડા પ્રમાણે 12 લોકોની ઈજાગ્રસ્ત થવાની શંકા છે. જો કે આ ઘટનાની જાણ સ્થાનિક રેલવે તંત્રને થતા જ તેમના દ્વારા ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે શનિવાર સવારે બિહારના લખીસરાય જીલ્લાના કિઉુલ સ્ટેશનની નજીક ટ્રેકના કિનારે મુકેલો પાટો મૌર્ય એક્સપ્રેસની એક બોગીમાં ઘુસી જતાં એકનું મોત અને 2 લોકો ઘાયલ થવા પામ્યા હતા. પોલીસના જણાવ્યાનુસાર કિઉુલ રેલ્વે સ્ટેશન નજીક હટિયી-ગોરખપુર મૌર્ય એક્સપ્રેસ જે ટ્રેક પરથી નિકળે છે તેની પાસે મુકેલી એક 10 ફૂટ લાંબો પાટો એકદમ જ બોગીમાં ઘુસી ગયો હતો. આ પાટાની ચપેટમાં આવવાથી એક વ્યક્તિનું મોત અને 2 ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકની ઓળખાણ સહારાનપુરના મંગલ શેઠ તરીકે કરવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
#MadhyaPradesh: 5 coaches of Katni-Chopan passenger train derailed between Salhna-Pipariyakala in Katni district. More details awaited. pic.twitter.com/jHczmJbRGI
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં એક પછી એક થનારા અકસ્માતના કારણે રેલ્વે નિગમની ટીકા કરવામાં આવી રહી હતી. જો કે વારંવાર બનતી આ ઘટનાને કારણે રેલવેના તે સમયના મંત્રીએ પ્રધાનમંત્રી મોદી જોડે મુલાકાત કર્યા પછી રેલ ઘટનાઓની જવાબદારી લેતા સુરેશ પ્રભુએ રાજીનામું આપી દીધુ હતું.
તેના પછી સપ્ટેમ્બર મહિનામાં રેલ મંત્રાલયની જવાબદારી પીયૂષ ગોયલને સોંપવામાં આવી હતી.તેવામાં ગોયલની સૌથી મોટી જવાબદારી લોકોનો રેલ્વે પર વિશ્વાસ વધારવાનું હતું. જો કે રેલ દુર્ઘટનાઓ હજુ પણ ઓછી થઈ નથી.