દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની દહેશત વચ્ચે દિલ્હીમાં ફરીવાર સરકાર અને LG વચ્ચે મતભેદ જોવા મળ્યો છે.
દિલ્હીમાં નહીં હટાવાય વિકેન્ડ કર્ફ્યૂ
LGએ સરકારના નિર્ણયને ન આપી મંજૂરી
કોરોના કેસ ઘટતા કેજરીવાલે લીધો હતો નિર્ણય
દિલ્હીમાં આંશિક લૉકડાઉન સહિતના કડક પ્રતિબંધો હજુ પણ યથાવત જ રહેશે, આજે સવારે જ કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો હતો પરંતુ રાજ્યના LGએ આ નિર્ણયને મંજૂરી આપી નથી.
શું છે સમગ્ર મામલો?
કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે નવા કેસ ઓછા થવાના કારણે કેજરીવાલ સરકારે નિર્ણય કર્યો હતો કે પ્રતિબંધો હટાવવામાં આવે. આ સિવાય દુકાનોમાં પણ ઓડ-ઈવન ફોર્મ્યુલાના કારણે લોકોને તકલીફ પડી રહી હતી ત્યારે લોકોની નારાજગીને જોતાં સરકારે પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકલ્યો હતો જે બાદ આ નિર્ણય પર 'વીટો' પાવર લગાવી દેવામાં આવ્યો છે.
#UPDATE | Agreed to 50% attendance in Pvt offices. But suggested that status quo be maintained with regards to weekend curfew and opening of markets and decision be taken on the subject once the COVID situation improves further: LG House
એક રાહત મળી
જોકે પ્રાઇવેટ ઓફિસોને લઈને રાહત આપવામાં આવી છે. પ્રાઇવેટ ઓફિસમાં હવેથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, જોકે બજારોને લઈને કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિને જોતાં નિયમો લાગુ કરવામાં આવશે.
વિકેન્ડ કર્ફ્યૂ યથાવત
દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયાએ પણ કહ્યું છે કે અમે પ્રતિબંધો હટાવવા માંગીએ છે પરંતુ મંજૂરી મળી રહી નથી. ઉપરાજ્યપાલ દ્વારા આપવામાં આવલ આદેશો આવતીકાલથી લાગુ થઈ શકે છે જેથી કમ સે કમ પ્રાઇવેટ ઓફિસમાં તો રાહત મળશે જ.