દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 5481 કેસ નોંધાયા છે.
દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 5481 કેસ
3 લોકોના મોત થયા
વીકેન્ડ કર્ફ્યુ લાગુ પણ લોકડાઉનનો સરકારનો ઈન્કાર
દિલ્હીમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. મંગળવારે પણ દિલ્હીમાં કોરોનાના નવા 5481 નવા કેસ આવ્યાં હતા. રાજ્યમાં સંક્રમણ દર હવે 8.37 ટકા સુધી પહોંચી ગયો છે. આ જીવલેણ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે. સાથે જ 1575 દર્દીઓ પણ સાજા થઈ ગયા છે. રાજ્યની હોસ્પિટલોમાં ૫૩૧ દર્દીઓ દાખલ છે.
COVID19 | Delhi reports 5,481 new cases & 3 deaths; Active cases 14,889. Positivity rate rises to 8.37% pic.twitter.com/G1Jq0Fx9zK
દિલ્હીમાં લોકડાઉનનો સરકારનો ઈરાદો નથી-હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન
દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને એવું જણાવ્યું કે દિલ્હીમાં કેસ વધી રહ્યાં છે અને પોઝિટિવીટી રેટ પણ 8.5 ટકા છે તેમ છતાં પણ સરકારનો લોકડાઉનનો કોઈ વિચાર નથી.
દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત
સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે દિલ્હીમાં ફુલ લોકડાઉનનો કોઈ સવાલ નથી. દૈનિક કેસમાં વધારો આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. દિલ્હીમાં શનિ-રવિ વિકેન્ડ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે અને સાથે ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે. આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીમાં મેટ્રો અને બસો પૂરી ક્ષમતા સાથે ચાલુ રહેશે તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા કરવામાં આવી હતી.
દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન-મુંબઈના મેયરની સ્પસ્ટતા
મુંબઈમાં પણ કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે અને હવે લોકડાઉનની ચર્ચા છે ત્યારે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે સ્પસ્ટ કરી દીધું છે કે જો મુંબઈમાં દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન લાગુ પાડી દઈશુ.