સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી રામ જેઠમલાણીનું રવિવારે અવસાન થયું છે. દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઘણા દિગ્ગજોએ જેઠમલાણીની અંતિમયાત્રામાં ભાગ લીધો હતો.
દિગ્ગજોએ રામ જેઠમલાણીની અર્પણ કરી શ્રદ્ધાંજલિ
રવિવારે સવારે રામ જેઠમલાણીનું નિધન થયું હતું. ત્યારબાદ ઘણા રાજકારણીઓ અને વરિષ્ઠ વકીલો તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. રવિવાર સવારથી તેમના નિવાસસ્થાને પહોંચેલા લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ અમિત શાહ પણ હતા.
બોલીવુડ સેલેબ્સે અર્પણ કરી શ્રદ્ધાંજલિ
બોલીવુડના તમામ સેલેબ્સે પણ રામ જેઠમલાણીના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતા ફરહાન અખ્તરે ટ્વિટ કર્યું હતું કે 'તમારા આત્માને શાંતિ મળે. તમારી સાથે વાર્તાલાપમાં વિતાવેલો સમય હંમેશા ખૂબ જ મનોહર યાદગાર રહ્યો છે. તેના પરિવાર પ્રત્યેની મારી સંવેદના.
દેશના સૌથી મોંઘા વકીલોમાંના એક
તમને વિશ્વાસ નહીં આવે પણ રામ જેઠમલાનીના કેસની એક હિયરિંગની ફી 25 લાખ રૂપિયા હતી. તેનો અર્થ એ છે કે એક વાર કોર્ટમાં આવવા માટે રામ જેઠમલાની લેતા હતા 25 લાખ રૂપિયા. તેમની એક ખાસિયત એ હતી કે રામ જેઠમલાની અમીર વ્યક્તિઓ પાસે પોતાની ફી લેવામાં ખચકાતા નહીં અને ગરીબ અને જરૂરિયાત વાળી વ્યક્તિને માટે તેઓ 'પ્રો બોનો' એટલે કે ફી વિના જ કેસ લડતા હતા.
રામ જેઠમલાની દેશના સૌથી મોંધા વકીલોમાંના એક ગણવામાં આવતા. જેઠમલાની સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અને રાજનીતિક વ્યક્તિ હતા. તેઓએ અનેક કેસ લડ્યા છે.