દિલ્હીમાં લૉકડાઉનના સતત ત્રીજા દિવસે પણ કોરોનાવાયરસના આંકડા ચિંતાજનક નોંધાયા છે. બુધવારે 24 કલાકના આંકડા આવ્યા પછી દિલ્હી સરકારની ઉડી શકે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24638 નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ 249 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 9,30,179 થઈ ગઈ છે. આ 8,31,928 લોકો સ્વસ્થ બન્યા છે. આ સાથે જ, કોરોનાથી અત્યાર સુધીમાં 12, 887 લોકો મૃત્યુ પામ્યા છે. જો આપણે પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો આ આંકડો 31.28 ટકા સુધી સતત રહ્યો છે. દિલ્હીમાં હાલ કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા 85,364 છે. દિલ્હીમાં સોમવારે રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન અમલમાં છે.
દિલ્હીમાં કોરોના આવતા આંકડા સતત ડરાવી રહ્યા છે
દિલ્હીમાં મંગળવારે કોરોનાના આંકડા પણ આશ્ચર્યજનક હતા. મંગળવારે, દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ મોત થયા હતા અને અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુઆંક અને સંક્રમણદર છે. મંગળવારે 28,395 નવા કેસ નોંધાયા હતા અને 277 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે, પોઝિટિવિટી દર 32.82 ટકા પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડ્યા રેકોર્ડ
રાજ્યમાં એક દિવસમાં કોરોનાથી થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં 10,852 કેસ આવ્યાં છે અને 35 લોકોના મોત થયા છે.નાગપુરમાં 7555 કેસ આવ્યાં અને 41 લોકોના મોત થયા છે.
24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત.
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. દર રોજ નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યા છે. પણ આ વખતે મોતના આંકડાઓએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દેશમાં પહેલી વાર ન ફક્ત કેસ 3 લાખની નજીક આવ્યા છે બલ્કે સૌથી વધારે 2 હજાર મોત પણ થયા છે. આ રીતે મહામારીની બીજી લહેર દર રોજ પોતાનો રેકોર્ડ તોડી રહી છે. વર્લ્ડોમીટર મુજબ મંગળવારે રાતે 12 વાગે 24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત થયા છે.