દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના સેન્ટરના મૌલાનાના વિરૂદ્ધ કેજરીવાલ સરકાર FIR દાખલ કરવામાં આવશે. તબલીગી જમાતના સેન્ટરથી રવિવારે દિલ્હીના LNJP હોસ્પિટલમાં 34 લોકોની તપાસ માટે લગાવવામાં આવ્યા અને તમામ કોરોના સંક્રમણના સંદિગ્ધ ગણાવવામાં આવી રહ્યા છે. તેવામાં એક 64 વર્ષથી વ્યક્તિના મોત થઇ ગઇ. તેઓ તમિલનાડુના રહેવાસી હતા. ત્યારબાદ આ મામલે જોર પકડ્યું અને હવે દિલ્હી સરકાર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
કોરોના વાયરસનો કહેર
મરકઝમાં થયું નિયમોનું ઉલ્લંઘન
34 લોકો કોરોના સંક્રમણના શંકાસ્પદ
દિલ્હીના તબલીગી જમાતના મરકઝમાં 1થી 15 માર્ચ સુધી 5 હજારથી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. જેમાં ભારત સહિત ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડથી પણ લોકો આવ્યા હતા. 22 માર્ચના લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીં 2 હજાર જેટલા લોકો રોકાયા હતા. તેમાંથી 200 લોકો કોરોનાથી સંક્રમિત હોય તેવી શક્યતાઓ છે.
આ મામલે દિલ્હી સરકાર દ્વારા જણાવ્યા અનુસાર, દેશમાં 24 માર્ચ રાત્રે 12 વાગ્યે લૉકડાઉન લાગૂ થયું. દરેક હોટલ, ગેસ્ટ હાઉસ, હૉસ્ટેલના માલિક અને તંત્રનું સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખવું કર્તવ્ય હતું. એવું લાગે છે કે અહીં પર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન કર્યું.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે હવે અમને માહિતી મળી છે કે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને કોરોના વાયરસથી કેટલાક પોઝિટિવ કેસ અહીંથી સામે આવ્યા છે. જે પણ આમાં દોષિત હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
નિવેદન અનુસાર, આ બેદરકારીથી કેટલાક જીવન ખતરામાં પડી ગયા છે. લૉકડાઉન દરમિયાન લોકોનો આ પ્રકારે જમાવડોથી બચવા દરેક નાગરિકની જવાબદારી હતી અને અહીં એક ગુના સિવાય બીજુ કંઇ નથી.