બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળતા પહેલા આ બાબતને ખાસ નોટ કરી લેજો, વંદે ભારત આવી મોટી અપડેટ

કામની વાત / વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળતા પહેલા આ બાબતને ખાસ નોટ કરી લેજો, વંદે ભારત આવી મોટી અપડેટ

Last Updated: 03:37 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જાય છે. ત્યારે જો તમે પણ આ વખતે વૈષ્ણોદેવી જવની વિચારી રહ્યા હોવ તો આ ખાસ તમારા માટે છે. નવી દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 50 દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. આ ટ્રેન 16 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી આ રૂટ પર નહીં ચાલે.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. નવા વર્ષ પર કટરા પહોંચતા ભક્તોની સંખ્યા અનેકગણી વધી જાય છે. માતા વૈષ્ણો દેવીના દર્શન માટે મુસાફરો રોડ, રેલ કે હવાઈ માર્ગે પહોંચે છે. ભારતીય રેલવે યાત્રાળુઓ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કરી છે જે નવી દિલ્હી અને કટરા વચ્ચે દોડે છે.

જો તમે પણ નજીકના ભવિષ્યમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. નવી દિલ્હીથી વૈષ્ણોદેવી સુધી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંગે એક મોટી અપડેટ આવી છે. આ ટ્રેન આગામી દોઢ મહિનાથી વધુ સમય માટે એટલે 50 દિવસ માટે રદ કરવામાં આવી છે.

વંદે ભારત ટ્રેન ક્યારે રદ કરવામાં આવી?

રેલવે મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 50 દિવસ માટે રદ કરવામાં આવી છે. આ ટ્રેન ૧૬ જાન્યુઆરીથી ૬ માર્ચ સુધી આ રૂટ પર દોડશે નહીં. આ સેમી હાઇ સ્પીડ ટ્રેનનું સંચાલન ઉત્તર રેલવે દ્વારા થાય છે.

કેમ કરાઇ બંધ?

રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જમ્મુ સ્ટેશન પર ચાલી રહેલા ઋ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે નવી દિલ્હી-માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. જમ્મુ યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ રૂટ પર ચાલતી ટ્રેન બંધ કરવામાં આવી છે. તેથી ઉત્તર રેલ્વેએ તેને 50 દિવસ માટે રદ કરી દીધી છે.

વધુ વાંચો: મહાકુંભમાં કેવી રીતે પહોંચવું અને ક્યાં રહેવું?, કેટલું ચાલવું પડશે?, જતા પહેલા જાણી લો આખી સિસ્ટમ

આ ટ્રેન રદ કરવામાં આવી

દિલ્હી અને કટરા વચ્ચે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડે છે. આમાં ટ્રેન નંબર 22439/22440 (નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા) અને ટ્રેન નંબર 22477/22478 (શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી)નો સમાવેશ થાય છે. રદ કરાયેલી ટ્રેન 22439/22440 (નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા) છે. ટ્રેન નંબર 22477/22478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ જ દોડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vande Bharat Express northen railway Delhi-Katra train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ