JNUમાં હિંસાના મામલે પોલીસે FIR નોંધી લીધી છે અને હિંસાની તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને સોંપવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં રમખાણ-જાહેર સંપત્તિને નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે જાણકારી આપી છે કે ગઈકાલે થયેલી હિંસામાં 30 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, જેમાંથી 23 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે આ બાબતે વાત કરી અને જવાહરલાલ નેહરુ હોસ્પિટલના પ્રતિનિધિ સાથે મુલાકાત કરવા જણાવ્યું.
JNUમાં હિંસાને લઈને પોલીસે નોંધી ફરિયાદ
ક્રાઇમ બ્રાંચની ટીમ હિંસા મામલે કરશે તપાસ
હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓને કરાયા ડિસ્ચાર્જ
અમિત શાહે ઉપરાજ્યપાલ સાથે કરી વાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે વાત કરી અને તેમને કહ્યું કે તેઓ જેએનયૂના પ્રતિનિધિઓ સાથે વાત કરે.
Sources: Home Minister Amit Shah speaks to Delhi Lieutenant Governor Anil Baijal, requests him to call representatives from Jawaharlal Nehru University (JNU) & hold talks. #JNUViolencepic.twitter.com/CD8FsaCcnM
દિલ્હી પોલીસના સૂત્રોના અનુસાર JNU હિંસામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. 23 વિદ્યાર્થીઓને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
Delhi Police Sources: FIR registered in connection with violence in Jawahar Lal University yesterday. 23 students who were admitted to hospital have been discharged. #JNUViolencepic.twitter.com/eI3g7FOiU5
R. Meena, senior warden of Sabarmati Hostel of Jawaharlal Nehru University (JNU) has resigned stating, 'we tried but could not provide security to hostel.' #JNUViolencepic.twitter.com/9K68Fe1LIX
જેએનયુની સાબરમતિ હોસ્ટેલના સીનિયર વોર્ડન આર.મીણાએ રાજીનામું આપ્યું છે.
LGએ વિશ્વવિદ્યાલય પ્રશાસનને બેઠક માટે બોલાવી
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જેએનયુમાં થયેલી હિંસા બાદ વિશ્વવિદ્યાલય પ્રશાસનને બેઠક માટે બોલાવ્યા છે. ગૃહ મંત્રાલયે એક અધિકારીને જણાવ્યું છે કે જેએનયુના રજિસ્ટ્રાર, પ્રોક્ટર વીસીએ દિલ્હીના ઉપરાજ્યપાલની મુલાકાત કરી. તેઓને સ્થિતિથી માહિતગાર કર્યા. અધિકારીએ કહ્યું કે કેસને દિલ્હી પોલીસની અપરાદ શાખાને સોંપ્યો છે. પોલીસ વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. આ સાથે જ સાક્ષી શોધવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કોંગ્રેસના વિદ્યાર્થીઓની ટીમ એનએસયુઆઈ આજે બપોરે 2 વાગ્યે ડીયુના ઉત્તર કેમ્પસ ખાતે આર્ટ ફેકલ્ટીમાં જેએનયુ હુમલાનો વિરોધ કરશે. એનએસયુઆઈએ કહ્યું છે કે તે કોઈપણ પ્રકારની હિંસાની વિરુદ્ધ છે અને જેએનયુના વિદ્યાર્થીઓ સાથે છે.
હિંસા બાદ કેમ્પસ છોડી રહ્યા છે વિદ્યાર્થીઓ
જેએનયુમાં થયેલી હિંસા બાદ ઘણા વિદ્યાર્થીઓ કેમ્પસ છોડી રહ્યા છે. ગઈકાલે થયેલી ઘટના અંગે ઘરે જતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે બહારથી કેટલાક લોકો આવ્યા હતા જેમની પાસે લાકડીઓ અને સળિયા હતા. યુનિવર્સિટીમાં હાલત ખૂબ જ નાજુક છે. તેથી હું હમણાં માટે કેમ્પસ છોડું છું.
Delhi: A student of Jawaharlal Nehru University (JNU) seen today leaving the campus after a violence broke out yesterday evening, says,"People came from outside, armed with sticks and rods. Situation is grim in the University. So, I am leaving the campus for now." pic.twitter.com/cX4I1IEldS
JNUમાં હિંસા બાદ સોમવારે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વ વિદ્યાલયના અધિકારીઓ ફક્ત યોગ્ય ઓળખવાળા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે મીડિયા સહિચ કોઈ પણ બહારની વ્યક્તિનો પ્રવેશ પ્રતિબંધિત છે.
સ્મૃતિ ઈરાનીએ કહી આ વાત
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જેએનયૂ હિંસાને લઈને તપાસ શરૂ થઈ છે. તેને માટે કંઈ પણ કહેવા માટે આ યોગ્ય સમય નથી. પણ વિશ્વવિદ્યાલયોને રાજનીતિનો અડ્ડો બનાવવો યોગ્ય નથી. વિદ્યાર્થીઓને રાજનીતિના હથિયાર રૂપે ઉપયોગમાં ન લેવા.
Union Minister Smriti Irani on #JNUViolence: Investigation has begun,so will not be right to speak on it now, but Universities should not be turned into hubs of politics, neither should students be used as political pawns. pic.twitter.com/Gor1mONKuM