દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઇને વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યુ છે. નાગરિકતા કાયદાની વિરુદ્ધ શાહીન બાગ બાદ જાફરાબાદમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું. જવાબમાં બીજેપી નેતા કપિલ મિશ્રા અને તેમના સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓએ જાફરાબાદ અને ચાંદ બાગમાં રસ્તા પર ખોલવાની માંગ કરતા પ્રદર્શન શરૂ કરી દીધું અને ધરણા પર બેસી ગયા.
પ્રદર્શનકારીઓએ કર્યો પથ્થરમારો, સુરક્ષા દળ બોલાવવામાં આવ્યા
તણાવ વધતા મોજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યું
જાફરાબાદ મેટ્રો સ્ટેશનને પણ બંધ કરી દેવામાં આવ્યો છે
આ દરમિયાન એક સાંકળી ગલીથી કેટલાક લોકો આવ્યા અને કપિલ મિશ્રા અને તેમના સમર્થકો પર પથ્થરમારો કરી દીધો. તેના જવાબમાં કપિલ મિશ્રાના સમર્થકોએ પથ્થરમારો કરનારનો પીછો કર્યો અને પથ્થરમારા સામે જવાબી હુમલો બોલ્યો. મોજપુર ચાર રસ્તા પાસે પથ્થરમારાનો આ સિલસિલો લગભગ અડધા કલાક સુધી ચાલતો રહ્યો.
આ દરમિયાન દિલ્હી પોલીસ મૂકદર્શક બની તમાશો જોતી રહી. જ્યારે સ્થિતિ કાબૂથી બહાર થવા લાગી તો પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે આંસૂ ગેસના શેલ છોડ્યા.આ પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થઇ ગયા.
મોજપુરમાં તણાવ વધવાથી અને પથ્થરમારાની ઘટના બાદ મોજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. જાફરાબાદ મેટ્રો સ્ટેશનને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થિતિ બગડતી જોઇને જાફરાબાદ અને આસપાસના વિસ્તારમાં સીઆરપીએફની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ઇસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસીપી સહિત અન્ય વિસ્તારોના ડીસીપીને પણ બોલાવવામાં આવ્યા છે. હાલ પોલીસ સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કરી રહી છે.
CAA વિરુદ્ધ પ્રદર્શનને પગલે આ રસ્તો બંધ થયો
CAAની વિરુદ્ધ પ્રદર્શનને પગલે શાહીન બાગ-કાલિંદી કુંજ-સરિતા વિહાર રોડ, વજીરાબાદ-ચાંદ બાગ રોડ અને મોજપુર-જાફરાબાદ રોડ બંધ થઇ ગયો છે.