દિલ્હીમાં પકડાયેલા ISISના શંકાસ્પદ આતંકી અબૂ યુસુફે પ્રારંભિક પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા કર્યાં છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં બ્લાસ્ટનું ષડયંત્ર હતું. આતંકી અબૂ યુસુફે રામ મંદિર નિર્માણને લઇને બોમ્બ વિસ્ફોટ કરવા ઇચ્છતો હતો. જો કે આ પ્રારંભિક જાણકારી છે. તેઓ અફઘાનિસ્તાના રહેલા કેટલાક કમાન્ડરોના સંપર્કમાં હતો.
જો કે હાલમાં NSGની ટીમ તપાસ કરી રહી છે કે પ્રેશર કુકરમાં હતો વિસ્ફોટક કેવો હતો અને તેમાં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એજન્સીઓએ છેલ્લા બે દિવસથી મહત્વનું અલર્ટ જાહેર કર્યું હતું,
જેમાં એક અલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રામ મંદિર નિર્માણને લઇને આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. જો કે આ ખુલાસા બાદ ઉત્તર પ્રદેશમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાંથી વહેલી સવારે ISISના આતંકી ઝડપાયો હતો. પોલીસ વધુ કેટલાક વધુ કેટલાક શંકાસ્પદોની પણ ધરપકડ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. દિલ્હીના ધૌલાકુવા પાસે અથાડમણ ચાલી રહ્યું હતું. જેમાં આતંકવાદીએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતું આ બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.