રાજધાનીમાં કોરોનાના કેસ ઘટતા દિલ્હીને આજથી ધીરે ધીરે અનલોક કરવાનો નિર્ણય લેવાયો છે. પહેલા અઠવાડિયામાં ફેક્ટરી અને કન્સ્ટ્રક્શનના કામ કરવાની મંજૂરી અપાઈ છે તો મેટ્રો સેવાઓ બંધ રહેશે. આ સિવાય બિનજરૂરી સેવાઓ માટે કર્ફ્યૂ 7 જૂન સુધી ચાલુ રહેશે.
અનલોકની પ્રક્રિયા આજથી શરૂ
કન્સ્ટ્રક્શન સાઈટ, કારખાના ખુલશે
બિનજરૂરી સેવા માટે કર્ફ્યૂ યથાવત
7 જૂન સુધી કર્ફ્યૂનો અમલ
કોરોનાના કેસમાં ઘટાડો થતાં લેવામાં આવ્યો છે નિર્ણય
રાજધાની દિલ્હીને આજથી અનલોક કરવાની મંજૂરી મળી છે. આ માટે અહીં આજથી જરૂરી સેવાઓને ખોલવા માટેની મંજૂરી મળી છે. લોકડાઉન દરમિયાન ઈન્ડસ્ટ્રિયલ એરિયા, મેન્યુફેક્ચરિંગ યુનિટને મંજૂરી અપાઈ છે તો સાથે જ પ્રોડક્શન યુનિટ, કન્સ્ટ્રક્શન સાઈટના કર્મચારીઓને કામ પર આવવાની મંજૂરી મળી છે. આ તમામ લોકોને અવર જવર માટે ઈ-પાસ લેવો પડશે. તમામ સાઈટ પર ટેસ્ટિંગની વ્યવસ્થા પણ રહેશે. દિલ્હીમાં એક સપ્તાહમાં પ્રથમવાર મૃત્યુઆંક 100થી ઓછો થયો છે. આ પૂર્વે 13 એપ્રિલે દિલ્હીમાં 100થી ઓછા લોકોના મૃત્યુ થયા હતા. દિલ્હીમાં પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો હોવાનું જાણના મળ્યું છે. અહીં પોઝિટિવિટી રેટ ઘટીને હવે 1.25 ટકા થયો છે.
दिल्ली में पिछले 24 घंटे में #COVID19 के 946 नए मामले सामने आए हैं। इस दौरान 1,803 लोग डिस्चार्ज हुए और 78 लोगों की मृत्यु दर्ज़ की गई।
આ લોકોને મળશે પરમિશન પણ ઈ પાસ જરૂરી રહેશે
લોકડાઉન સમયે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મેન્યુફેક્ચરિંગ યૂનિટ, પ્રોડક્શન યૂનિટ અને કંસ્ટ્રક્શન સાઈટ્સ પર કામદારો અને કર્મચારીઓને જવાની પરમિશન મળશે પણ તેમની અવરજવર માટે ઈ પાસ જરૂરી રહેશે. આ સિવાય કોન્ટ્રાક્ટર, ફેક્ટ્રી માલિકોએ પણ ઈ પાસ માટે એપ્લાય કરવાનું રહેશે. વર્કપ્લેસ પર લક્ષણો વિનાના શ્રમિકો અને કર્મચારીઓને જ પરમિશન મળશે. સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે એક નક્કી સંખ્યામાં કામ પર આવવાની પરમિશન મળશે.
દરેક સાઈટ્સ પર હશે ટેસ્ટિંગની વ્યવસ્થા
આ સિવાય યૂનિટ અને કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર થર્મલ સ્ક્રીનિંગ, સેનેટાઈઝરની વ્યવસ્થા હશે. દરેક જિલ્લા મેજિસ્ટ્રેટને કહેવાયું છે કે આ નિર્માણ વિસ્તારો અને સ્થળો પર પૂરતા પ્રમાણમાં રેન્ડમ ટેસ્ટિંગ/ આરટીપીસીઆર/ આરટી તપાસ કરાય, ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસની ટીમને દેખરેખ માટે કહેવાયું છે અને નિયમોનું પાલન કરાય તેની જવાબદારી સોંપાઈ છે.
दिल्ली में 18 साल से अधिक उम्र के लोगों के लिए वैक्सीन की डोज़ उपलब्ध नहीं है। 45 साल से अधिक उम्र के लोगों के लिए 3,50,000 डोज़ उपलब्ध है। दिल्ली में अब तक 53,42,386 लोगों को वैक्सीन की डोज़ लगी है। 45 साल से ज्यादा उम्र वाले 50% लोगों को वैक्सीन लग गई है: आतिशी मार्लेना, AAP pic.twitter.com/xy1Oefmaub
7 દિવસમાં પહેલી વાર કોરોનાથી 100થી ઓછા મોત
રાજઘાનીમાં કોરોના બેકાબૂ થયા બાદ સ્થિતિ કાબૂમાં આવી રહી છે. થોડા અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 946 નવા કેસ આવ્યા છે અને 78 દર્દીના મોત થયા છે. 47 દિવસમાં પહેલી વાર મોતનો આંક 100થી નીચે આવ્યો છે. આ પહેલા 13 એપ્રિલે 100થી નીચે મૃત્યુઆંક નોંધાયો હતો.
પોઝિટિવિટી રેટમાં આવ્યો મોટો ઘટાડો
દિલ્હીમાં કોરોનાના કારણે મૃત્યુદર 1.69 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 1.25 થયો છે. રાજધાનીમાં દર્દીની સંખ્યા 12100 થઈ છે. 24 કલાકમાં 1803 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે.