દિલ્હી સરકારે વધતાં કોરોના કેસના કારણે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે હવેથી દિલ્હીમાં વીક એન્ડ કર્ફ્યૂ અને ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમનાં આદેશો આપવામાં આવ્યા છે.
દિલ્હીમાં વધતાં કેસના કારણે નવી ગાઈડલાઇન
વિકેન્દ કર્ફ્યૂ અને ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમની જાહેરાત
પરિવહન સેવાઓ ચાલુ રહેશે
દિલ્હીમાં શનિ-રવિ વિકેન્ડ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે અને સાથે ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમના આદેશ આપવામાં આવ્યા છે. આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવામાં આવી હતી.
DDMA has decided to impose a curfew in Delhi on Saturdays and Sundays to curb COVID surge. All govt officials except for those engaged in essential services will work from home. 50% workforce of private offices will work from home: Delhi Deputy CM Manish Sisodia https://t.co/AhRHujg6BFpic.twitter.com/PM47VVE5kG
દિલ્હીમાં મેટ્રો અને બસો પૂરી ક્ષમતા સાથે ચાલુ રહેશે તેવી જાહેરાત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા કરવામાં આવી હતી.
दिल्ली सरकार ने फैसला किया है कि दिल्ली में बसें और मेट्रो पूरी क्षमता के साथ चलेंगी लेकिन बसों और मेट्रो में बिना मास्क के लोगों को प्रवेश नहीं दिया जाएगा: दिल्ली के उपमुख्यमंत्री मनीष सिसोदिया #COVID19pic.twitter.com/YI0BJXb7tN
બીજી તરફ મુંબઈમાં પણ લૉકડાઉનને લઈને મેયરે સ્પષ્ટ એલાન કરી દીધું છે. કિશોરી પેડનેકરે મોટું એલાન કરતાં કહ્યું છે કે જો દૈનિક કેસનો આંકડો 20 હજારને પાર થઈ જશે તો અમે લૉકડાઉન લગાવી દઇશું.
પ્રાઇવેટ ઓફિસો 50 % કેપેસિટી સાથે
Delhi Deputy CM Manish Sisodia ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં સરકારી કર્મચારીઓમાં જરૂરી સેવાઓ સિવાયના તમામને ઘરેથી કામ કરવાનું રહેશે અને ઓફિસો બંધ રહેશે જ્યારે પ્રાઇવેટ કંપનીઓ 50 ટકા સ્ટાફ સાથે કામ કરી શકશે. DDMA ની બેઠકમાં નિર્ણય લેવાયા છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીમાં છેલ્લા 8 થી 10 દિવસમાં 11 હજાર જેટલા કોરોનાનાં કેસ નોંધાઈ ચૂક્યા છે.
24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા
કોરોના સંક્રમણ દેશમાં તેજ સ્પીડની સાથે સતત ફેલાઈ રહ્યો છે. આ બાદ એ સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર હવે દેશમાં આવી ચૂકી છે. ગત 24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. જ્યારે 124 લોકોના જીવ ગયા છે. આ બાદ દેશમાં કુલ કોવિડના મામલા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે તો મરનારની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ.
સાજા થનારાની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ
કોરોનાના સક્રિય મામલા હવે વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગયા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી સાજા થનારાની સંખ્યા 3 કરોડ 43 લાખ 6 હજાર 414 થઈ ગઈ છે. આ દરમિયાન રસીકરણ સ્પીડમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 146 કરોડ વેક્સીનેશન ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલા વધીને હવે 1892 થઈ ગયા છે. જો કે 766 લોકો સાજા થયા છે. એક દિવસ પહેલા સોમવારે કોરોનાના ગત 24 કલાક દરમિયાન 33 હજાર 750 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આ દરમિયાન 123 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ગઈ- એન કે અરોડા
ભારતમાં દર રોજ કોરોનાના મામલા વધી રહ્યા છે અને હવે કોરોના ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોડાએ પોતે જણાવ્યું છે કે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યૂનાઈઝેશનના ચેરમેન અરોડાએ એમ પણ કહ્યું કે ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ વાળા મોટા શહેરોમાં સામે આવી રહ્યા છે.એક ન્યૂઝ ચેનલ સાથે થયેલી વાતચીતમાં ડોક્ટર એન કે અરોડાએ જણાવ્યું કે મુંબઈ, દિલ્હી અને કોલકત્તા જેવા મોટા શહેરોમાં આ તેજીથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટના 75 ટકા કેસ સામે આવી રહ્યા છે. આ વેરિએન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રીકામાં નવેમ્બર મહિનામાં મળ્યા હતા.
અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જાણકારી આપી છે કે તે કોરોના સંક્રમિત થયા છે. જો કે તેમણે જણાવ્યું કે તેમનામાં લક્ષણો છે. કેજરીવાલે ટ્વીટ પર કહ્યું કે, હું કોરોના સંક્રમિત થયો છું. મારામાં તેના હળવા લક્ષણો છે. હું પોતાને ઘરમાં આઈસોલેટ કરી રહ્યો છું. જે લોકો ગત કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે. તે કૃપા કરીને પોતાને આઈસોલેટ કરે અને પોતાનો ટેસ્ટ કરાવે.