દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસની પાસે ગઇકાલે શુક્રવારના રોજ થયેલા બ્લાસ્ટ પાછળના કારણોની સંપૂર્ણ જાણકારી તપાસ થયા બાદ સામે આવશે.
દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસની પાસે ગઇકાલે બ્લાસ્ટ પાછળના કારણોની સંપૂર્ણ વિગત તપાસ બાદ સામે આવશે. પરંતુ સૂત્રોને મળતી માહિતી મુજબ ઇઝાયલ દૂતાવાસની બહાર થયેલા બ્લાસ્ટનું કનેકશન 29-29 હોવાનું શક્યતા જોવા મળી રહી છે. હુમલાખોરો ઇંટેસિટી બ્લાસ્ટ કરી મોટો મેસેજ આપવા ઇચ્છતા હતા.
ભારત અને ઇઝરાયલની કૂટનીતિક ભાઇબંધીના 29 વર્ષ ગઇકાલે પુરા થયા છે. ગઇકાલે 29 તારીખના રોજ બીટિંગ રિટ્રીટ પણ હતું અને 5.05 મિનીટનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ એ સમય છે જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોી બીટિંગ રિટ્રીટ સેરેમની માટે વિજય ચોક પહોંચી રહ્યાં હતા.
Today we celebrate 29 years of India-Israel diplomatic relations. 🇮🇳🤝🇮🇱
As we wish our #GrowingPartnership a Happy Birthday, let's take a look back at the key moments from last year which made our relationship stronger than ever🤝. pic.twitter.com/1qDc8MzgJv
સૂત્રોના જણાવ્યાં અનુસાર આ એક એક મોટુ પેનિક ફેલાવાનો પ્લાન હતો. જો કે બ્લાસ્ટની જગ્યા પરથી ચોંકાવનારા પૂરાવા મળ્યાં છે, જેની તપાસ ફોરેંસિક ટીમ કરી રહી છે.
માટીમાં લાકડીની છે હતો IED!
દૂતાવાસની નજીક ફૂટપાથ પર IED અથવા વિસ્ફોટક રાખવાની અથવા ફેંકવાની તપાસ કરવામાં આવી રહી છે. IEDને માટીમાં લાકડી નીચે દબાવીને રાખવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર ઇઝરાયલ દૂતાવાસની નીજક છેલ્લા 36 કલાકની ફોન કોલ ડિટેલ ચેક કરવામાં આવી રહી છે. આ વચ્ચે NIAની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી નીકળી ગઇ.
ગૃહમંત્રાલય નક્કી કરશે કે કઇ એજન્સી તપાસ કરશે. જો NIA ને કેસ સોંપવામાં આવે છે તો ગૃહમંત્રાલયનું CTCR ડિવિઝન જલ્દી જ નોટિફિકેશન બહાર પાડશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર હજુ સુધી એખ જ IEDની જાણકારી મળી છે.
ફોરેંસિક પૂરાવા એકત્રિત કર્યા પછી સેમ્પલને એકઠ્ઠા કરવામાં આવેલા પૂરાવાની તપાસ માટે NSGના નેશનલ બોમ્બ ડેટા સેન્ટર (NBDC) મોકલવામાં આવશે. NSG ની NBDC ની ટીમ પણ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે.
ઇઝાયલનું નિવેદનઃ આ આતંકી હુમલો છે
બ્લાસ્ટ બાદ થોડા સમય પછી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પોત-પોતાના સમકક્ષો સાથે વાતચીત કરી હતી. આ સાથે ઘટનાક્રમને લઇને પણ જાણકારી આપી.
જયશંકરે ઇઝાયલના વિદેશ મંત્રી અશેકનાજી વાતચીત કરી. જયશંકરે કહ્યું કે આ બ્લાસ્ટને અમે ગંભીરતાથી લઇ રહ્યાં છીએ. આ બ્લાસ્ટને લઇને તપાસ કરવામાં આવી રહી છે. જયશંકરે કહ્યું કે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.