દિલ્હીમાં ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે અને બીજી તરફ શુક્રવારે સાંજે ધમાકો થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો છે.
શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો
શાહે એજન્સીઓ સાથે વાત કરી, NIA ની ટીમે હાથ ધરી તપાસ
કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી
શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો
દિલ્હીમાં થયેલા ધમાકા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સુરક્ષા અધિકારઓની સાથે બેઠક કરી .બેઠકમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં દિલ્હી પોલીસે આ મામલામાં જલ્દી પોતાની તપાસ પુરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે ગુપ્તચર એજન્સિઓ દરેક શક્ય મદદ દિલ્હી પોલીસને પુરી પાડવાના નિર્દેશ આપ્યા છે. શાહ શનિવારે પણ બેઠક કરી શકે છે. દિલ્હીમાં ખેડૂતોનુ પ્રદર્શન ચાલુ છે અને શુક્રવારે સાંજે ધમાકો થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારનો પોતાનો બંગાળ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો છે.
શાહે એજન્સીઓ સાથે વાત કરી, NIA ની ટીમે તપાસ આદરી
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ઇન્ટેલિજન્સ બ્યૂરો અને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી હતી, જો કે NIA ની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે, ત્યાં જ ઇઝરાયેલના રાજદૂતે કહ્યું હતું કે દૂતાવાસમાં બધા સુરક્ષિત છે અને અમે વિદેશ મંત્રાલય અને દિલ્હી પોલીસનો સહયોગ કરી રહ્યા છીએ. પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે અમેક કેસ દાખલ કર્યો છે અને સ્પેશિયલ સેલ ઘટનાની તપાસ કરી રહી છે.
કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી
ઉલ્લેખનીય છે કે શુક્રવારે નવી દિલ્હી સ્થિત ઈઝરાઈલના દૂતાવાસની પાસે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. ઈઝરાઈલ તરફથી આને આંતકી વિસ્ફોટ કરાર કરવામાં આવ્યો તો ભારતે કહ્યું ગુનેગારોને છોડીશું નહીં. ધમાકા બાદ યુપી અને મહારાષ્ટ્ર સહિત અનેક અન્ય રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
વિસ્ફોટ ફુટપાથની પાસે થયો
ધમાકા બાદ પોલીસની સ્પેશિયલ સેલની ટીમ સૌથી પહેલા સ્થળ પર પહોંચી અને તેમના તરફથી વિસ્ફોટની ખરાઈ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટ ફુટપાથની પાસે થયો. આ વિસ્ફોટ શુક્રવારે સાંજે 5 વાગીને 5 મિનિટ પર થયો હતો. જેમાં 4થી 5 કારોના કાચ તુટ્યા છે. વિસ્ફોટના કારણે તપાસ શરુ થઈ ગઈ છે અને એનઆઈએની ટીમ પણ તપાસમાં જોડાયી છે.
યોગીએ વિશેષ સતર્કતાના નિર્દેશ આપ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવી દિલ્હીમાં ઈઝરાઈલી દુતાવાસની પાસે થયેલા બોમ વિસ્ફોટને જોતા વિશેષ સતર્કતાના નિર્દેશ આપ્યા છે. તેમણે તમામ જિલ્લા અને વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાના જિલ્લાના મુખ્ય સ્થાનો, ધાર્મિક સ્થળો અને અન્ય સંવેદનશીલ જગ્યાઓ પર સતર્ક દ્રષ્ટિ બનાવી રાખે.
ભારત અને ઇઝરાયેલ તેમના ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ અને
નોંધનીય છે કે 29 જાન્યુઆરીના દિવસે જ 1992માં ભારત અને ઇઝરાયેલના ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત થઈ હતી. શુક્રવારે ભારત અને ઇઝરાયેલ તેમના ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા અને ઇઝરાયેલની એમ્બેસીની બહાર 150 મીટરના આંતરે વિસ્ફોટ થતાં આ ઘટના સૂચક મનાઈ રહી છે,
શુ કહ્યું નેતન્યાહૂએ...
ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, અમને ભારત પર સંપૂર્ણ ભરોસો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં મોડી સાંજે બનેલી ઘટના બાદ પ્રધાનમંત્રી નેતન્યાહૂ સમગ્ર ઘટનાક્રમના અપડેટ લઈ રહ્યા છે.