બત્રા હોસ્પિટલે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને એવું જણાવ્યું કે શનિવારે બપોરે 12.45 વાગ્યે અમારો ઓક્સિજન પૂરો થઈ ગયો. નવો સપ્લાય 1.30 વાગ્યે આવ્યો. લગભગ 1 કલાક સુધી અમે ઓક્સિજન વગર રહ્યાં.બત્રા હોસ્પિટલના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર ડો.સુધાંશું બંકટાએ જણાવ્યું કે અમે વીડિયો એસઓએસ જારી કર્યો હતો. હોસ્પિટલે એવું પણ જણાવ્યું કે ઓક્સિજન 10 મિનિટ ચાલશે તેવો મેસેજ અમે 10 મિનિટ પહેલા મોકલાવ્યો હતો તેમ છતાં પણ સમયસર ઓક્સિજન ન મળ્યો. અમે છેક છેલ્લી ઘડીએ ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તો 8 લોકોના મોત થઈ ચૂક્યા હતા.
ઓક્સિજન ટેન્કર મોડું પહોચ્યું, 8 દર્દીઓના મોત
દિલ્હી મિનિસ્ટર રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે અમારા એસઓએસ ટેન્કર લિક્વીડ મેડિકલ ઓક્સિજન લઈને બત્રા હોસ્પિટલ પહોંચ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા 24 એપ્રિલે પણ બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટ્યો હતો અને છેક છેલ્લી ઘડીએ તેને ઓક્સિજન પૂરો પડાયો હતો અને સદનસીબે ઘણા દર્દીઓના જીવ બચી ગયા હતા.
દિલ્હીમાં કોરોના સંકટ અંગે હાઈકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે.હાઈકોર્ટે કેજરીવાલ સરકારને જણાવ્યું કે આર્મી પાસે અલગ પ્રકારની ટેકનોલોજી છે. અમે બેડ વધારી રહ્યાં છીએ તેવું કહેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. હાઈકોર્ટે જણાવ્યું કે હાલના સમયે ઓક્સિજન વગરના બેડનો કોઈ અર્થ નહીં રહે. આર્મીની સાથે મળીને કામ કરશો તો સરકારના સંસાધનોનો સારી રીતે ઉપયોગ થઈ શકશે. હાઈકોર્ટે દિલ્હી સરકારને એવો પણ સવાલ પૂછ્યો કે 1 એપ્રિલ બાદ દિલ્હી સરકારે કેટલા આઈસીયુ બેડ ઉપલબ્ધ કર્યાં અને આ બેડની હાલમાં શું સ્થિતિ છે.
15000 બેડની સંખ્યા વધારી રહ્યાં છીએ-દિલ્હી સરકાર
દિલ્હી સરકારે હાઈકોર્ટમાં એવી દલીલ કરી કે જ્યારે અમે દિલ્હીમાં બેડની સંખ્યા વધારવા દિવસ રાત કામ કરી રહ્યાં છીએ તો આર્મીની મદદ લેવાનું શા માટે દબાણ કરાઈ રહ્યું છે. અમે અમારી મેળે 15000 બેડની સંખ્યા વધારી રહ્યાં છે.