દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને પત્ની પર પતિ દ્વારા ગુજરવામાં આવતા બળાત્કારના ગુના અંગે સવાલ કરવામાં આવ્યા હતા.
પત્ની પર પતિ દ્વારા ગુજરાતાં બળાત્કાર
હાઇકોર્ટમા કરવામાં આવી હતી અરજી
દિલ્હી હાઇકોર્ટે સરકારને કર્યો સવાલ
દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જો તેઓ 2017 ની પોતાની અરજી પછી ખેંચવા માંગતા હોય તો ખેંચી શકે છે જેમાં તેમણે દલીલ કરી હતી કે મરાઇટલ રેપને કાનૂની અપરાધની કેટેગરીમાં રાખી શકાય નહીં. કારણ કે આ કાયદાથી લગ્નસંસ્થા અસ્થિર થઈ શીકે છે અને કોઈ વ્યક્તિને ફસાવવા માટે એક મોટું હથિયાર બની શકે છે.
હાઇકોર્ટમા યાચિકાઓ પર સુનાવણી
જસ્ટિસ રાજીવ શકધર અને જસ્ટિસ સી. હરિ શકંરની બેન્ચના એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માને આ પાસા પર નિર્દેશ પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. સાથે તેમણે આ મુદ્દે 31 જાન્યુઆરીએ લિસ્ટેડ કર્યું છે.
બેન્ચ મરાઇટલ રેપને કાનૂની અપરાધની કેટેગરીમાં રાખવા માટે અનુરોધ કરતી યાચિકાઓના એક ગ્રુપ પર સુનાવણી કરી રહી છે.
અરજદાર એનજીઓ આરઆઈટી ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ કરુણા નંદીએ આ સ્પષ્ટતા માંગ્યા પછી કોર્ટનો નિર્દેશ આવ્યો હતો.
એફિડેવિટ પર કેન્દ્ર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી
આમાં, તેણીએ કહ્યું હતું કે શું તે કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી લેખિત દલીલો અને એફિડેવિટ પર દલીલો રજૂ કરી શકે છે.
આ કેસમાં અગાઉ પણ એક એમિકસ ક્યુરીએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પ્રશ્ન મૂક્યો હતો કે શું આજના યુગમાં પત્નીને પોતાની સાથે થયેલ દુષ્કર્મને દુષ્કર્મ કહેવાના અધિકારથી વંચિત રાખવી તે યોગ્ય છે?
તેમણે કહ્યું હતું કે પત્નીને આ કૃત્ય માટે તેના પતિ વિરુદ્ધ ક્રૂરતાની વિરુદ્ધ કાયદાકીય સહારો લેવાનું કહેવામાં આવે તે યોગય જ છે.