delhi high court scolds central government about shortage of vaccine and black fungus medicine, you have vaccination otherwise why do you make announcements
કહ્યું તમે પ્રધાનમંત્રીને SPG સુરક્ષા શું કામ આપો છો.
કેન્દ્ર સરકારે આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો જે પછી દિલ્હી હાઈકોર્ટે સરકારની સામે સવાલ ઊભા કર્યાં હતા.
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની હાલની નીતિઓની ઝાટકણી કાઢતા જણાવ્યું કે તે શા માટે યુવાનોને પ્રાથમિકતા આપતા નથી. યુવાનો પર ભવિષ્યનો મદાર છે. તમે પ્રધાનમંત્રીને શા માટે સુરક્ષા આપો છો ? કારણ કે તેમની ઓફિસને તેની જરુર છે. પરંતુ દેશને યુવાનોની જરુર છે. હાઈકોર્ટે જણાવ્યું કે આજે અમે વાંચ્યું કે સરકાર અનાથ બાળકો માટે નીતિઓ લઈને આવી છે. આની જરુર જ કેમ પડી. એક બાળકને જેટલો એટલો પ્રેમ અને સ્નેહ માતાપિતા તરફથી મળે છે તેટલો બીજા કોઈની પાસેથી મળતો નથી. સરકારે માતાપિતાને બચાવવા જોઈએ.
વેક્સિન જ નથી તો જાહેરાત કેમ
દિલ્હી હાઈકોર્ટે વેક્સિનેશનના મુદ્દે પણ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી. કોર્ટે જણાવ્યું કે તમારી પાસે વેક્સિનેશન નથી તો તમે એવી જાહેરાત જ કેમ કરો છો. જો તમારી પાસે અછત હોય તો ઓછી પ્રાથમિકતા નક્કી કરો. અમને ખબર નથી કે તમે 60 પ્લસને વેક્સિનેશન આપવાનો નિર્ણય કેમ કરી નાખ્યો.
આ વખતે આપણે કેટલા યુવાનોને ગુમાવી દીધા
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે અમને દુખ થાય છે કે આપણે કેટલા યુવાનોને ગુમાવી દીધા અને તમે એવા લોકોને બચાવવા લાગ્યાં છો કે જેઓ જીંદગી વિતાવી ચૂક્યા છે. હાઈકોર્ટે એવું પણ કહ્યું કે અમે ઈટલી અંગે વાંચ્યું હતું કે જ્યારે ત્યાં બેડની સંખ્યાની અછત વર્તાઈ ત્યારે હોસ્પિટલોએ વૃદ્ધોને દાખલ કરવાનું બંધ કરી દીધું હતું.
એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વાસ્તવિક સ્થિતિ સમજવી જોઈએ. સુપ્રીમે કેન્દ્રને જણાવ્યું કે તમે કોફી સૂંઘો. તમારે જોવું પડશે કે દેશમાં શું થઈ રહ્યું છે. તમારે મૂળ હકીકત પર ધ્યાન દેવું પડશે. અને તે પ્રમાણે તમારે તમારી નીતિમાં ફેરફાર કરવો પડશે. ભારતમા ડિઝિટલ સાક્ષરતા દૂરની વાત છે. સુનાવણીમાં આગળ સુપ્રીમની ખંડપીઠે કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું કે તેની વેક્સિન નીતિ શું છે. હકીકતમાં તમામ રાજ્યો વતી કોરોના વેક્સિનની ખરીદી માટે ગ્લોબલ ટેન્ડર જારી કરાઈ રહ્યાં છે. આ સંદર્ભમા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની બેવડી વેક્સિન નીતિ અંગે સવાલ કર્યાં.સુપ્રીમની ખંડપીઠની આકરી ઝાટકણી બાદ કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે કોરોના વેક્સિનની ખરીદી માટે રાજ્યો દ્વારા જારી ગ્લોબલ ટેન્ડર કેન્દ્ર સરકારની પોલિસીનો હિસ્સો છે. 2021 ના અંત સુધીમાં જેમને જરુર છે તે તમામ લોકોનું વેક્સિનેશન થઈ જશે.
ભારત સંઘપ્રદેશ છે, શું તમે તમને વન નેશન નીતિ પર રાખી રહ્યાં છો
જસ્ટીસ ડીવાય યંદ્રચુડની આગેવાળી ખંડપીઠે જણાવ્યું કે ભારત સંઘપ્રદેશ છે, શું તમે તમને વન નેશન નીતિ પર રાખી રહ્યાં છો. બંધારણ કહે છે કે સરકારે વેક્સિનની ખરીદી અને વિતરણ કરવું જોઈએ. રાજ્યો પર તેની જવાબદારી ન ઢોળવી જોઈએ.
લોકોને સ્માર્ટફોનના અભાવમાં વેક્સિનેશન સ્લોટ મળી રહ્યો નથી
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે લોકોને વેક્સિનેશન માટે સ્લોટ મળી રહ્યો નથી તે ચિંતાનો વિષય છે. કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. પરંતુ દેશમાં ઘણી મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમની પાસે સ્માર્ટ ફોન નથી કે ઈન્ટરનેટ પણ નથી. તેથી તેમને વેક્સિનેશનલ સ્લોટ મળી શકતો નથી.
તમે જાગી જાવ અને કોફી સૂંઘો અને જુઓ કે દેશમાં શું થઈ રહ્યું છે
વેક્સિન નીતિ પર સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે જણાવ્યું કે આ પોલીસી મેટર છે અને કોર્ટને ન્યાયિક સમિક્ષા સુધીનો જ અધિકાર છે. ત્યારે સુપ્રીમે કહ્યું કે અમે પોલિસી બનાવી રહ્યાં નથી. તમે જાગી જાવ અને કોફી સૂંઘો અને જુઓ કે દેશમાં શું થઈ રહ્યું છે.