મુસ્લિમ કાનુન અનુસાર તરુણાવસ્થા પ્રાપ્ત કરનારી સગીર વયની યુવતીને પોતાના માતા પિતાની મંજુરી વગર તેના પતિ સાથે લગ્ન કરવાનો અને તેની સાથે રહેવાનો અધિકાર છે.
માં બાપની મંજુરી વગર મુસ્લિમ કાનુન અનુસાર સગીર લગ્ન કરી શકે
તેની ઉમર 18 વર્ષથી ઓછી હોય તો પણ પતિ સાથે રહેવાનો અધિકાર
રાજ્યનો ઉદ્દેશ અરજદાર કિશોરીના શ્રેષ્ઠ હિતનું રક્ષણ કરવાનો છે
પરિવારથી રક્ષણની માંગને લઈને કિશોરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે
મુસ્લિમ કાનુન અનુસાર તરુણાવસ્થા પ્રાપ્ત કરનારી સગીર વયની યુવતીને પોતાના માતા પિતાની મંજુરી વગર તેના પતિ સાથે લગ્ન કરવાનો અને તેની સાથે રહેવાનો અધિકાર છે. ભલે તેની ઉમર 18 વર્ષથી ઓછી હોય.
મુસ્લિમ કાયદા હેઠળ લગ્ન કર્યા
કિશોરની અરજીને માન્ય રાખતા જસ્ટિસ જસમીત સિંહની બેંચે માર્ચ-2022માં મુસ્લિમ રીતિ રિવાજ મુજબ લગ્ન કરનાર મુસ્લિમ દંપતીને સુરક્ષા આપી હતી. આ દંપતીએ અરજી દાખલ કરી હતી કે કોઈ તેમને અલગ ન કરે તેની ખાતરી કરવા નિર્દેશોની માંગ કરી હતી. હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે મુસ્લિમ કાયદા હેઠળ તેમણે લગ્ન કર્યા અને પછી શારીરિક સંબંધ બાંધ્યા.
રાજ્યનો ઉદ્દેશ કિશોરીના શ્રેષ્ઠ હિતનું રક્ષણ કરવાનો
ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે પોક્સો એક્ટનો હેતુ બાળકોની કુમળી ઉંમરને સુરક્ષિત કરવાનો તેમજ તેમની સાથે દુર્વ્યવહાર ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ખંડપીઠે કહ્યું હતું કે જો અરજદારોનો અલગ કરવામાં આવશે, તો તેનાથી અરજદાર કિશોરી અને તેના ન જન્મેલા બાળકને વધુ આઘાત લાગશે. રાજ્યનો ઉદ્દેશ અરજદાર કિશોરીના શ્રેષ્ઠ હિતનું રક્ષણ કરવાનો છે.
માતાપિતા દ્વારા માર મારવામાં આવતો
યુવતીએ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેના માતા-પિતાએ લગ્નનો વિરોધ કર્યો હતો અને તેના પતિ સામે પહેલા આઈપીસીની કલમ 363 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં બળાત્કાર અને પોક્સોની કલમો ઉમેરવામાં આવી હતી. કિશોરીએ આરોપ લગાવ્યો હતો કે તેના માતાપિતા દ્વારા તેને નિયમિતપણે માર મારવામાં આવતો હતો અને તેણે પોતાની મરજીથી ભાગીને લગ્ન કર્યા હતા.
યુવતીની ઉમ્ર 15 વર્ષ
દિલ્હી પોલીસે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ યુવતીનો જન્મ 2 ઓગસ્ટ, 2006ના રોજ થયો હતો અને લગ્નની તારીખે તે 15 વર્ષ અને 5 મહિનાની હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે પરિવારની ફરિયાદ પર, કિશોરીને એપ્રિલ -2022 માં તેના પતિના કબજામાંથી બચાવી લેવામાં આવી હતી અને તેની તબીબી તપાસ દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલ (ડીડીયુ) માં કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ દંપતીએ લગ્ન પછી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેઓ સંતાનની અપેક્ષા રાખતા હતા