ભારતમાં લગ્નનું વધુ સન્માન કરવામાં આવે છે. આપણે એવા રાષ્ટ્રમાં રહીએ છીએ. જ્યાં લગ્નને મજબૂત પાયો ગણવામાં આવે છે.
દિલ્હી હાઈકોર્ટે આપ્યો ચુકાદો
લગ્ન પહેલા કોઈ પણ પક્ષ આ વાત છુપાવશે તો તે છેતરપિંડી ગણાશે
જો કોઈ પણ પક્ષ આ વાત છુપાવશે તો લગ્ન પણ રદ્દ થશે
લગ્ન પહેલાં કોઈ પણ પક્ષ બિમારી છુપાવે તો તે છેતરપિંડી: હાઈકોર્ટ
કોર્ટે આ સંદર્ભે ટિપ્પણી કરતા કહ્યું કે લગ્ન પહેલાં કોઈ પણ પક્ષ બિમારીને છુપાવે છે તો તે છેતરપિંડી છે અને તેનાથી લગ્ન રદ્દ પણ થાય છે. કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરીને એક વ્યક્તિના લગ્નને ફગાવવાનો આદેશ જાહેર કર્યો છે. જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ જસમીત સિંહની ખંડપીઠે વિવાહને રદ્દ કરી કહ્યું કે કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. જે તેમની ભૂલ નથી. વર્તમાન મામલામાં યુવતી બિમાર હતી. તેની સારવાર ચાલુ હતી. કોર્ટે કહ્યું મહિલાએ માન્યું છે કે કોલેજના સમયથી તેના માથામાં દુ:ખાવો થયો હતો અને તેનો અભ્યાસ છૂટી ગયો.
માથાનો દુ:ખાવો એ કોઈ બિમારી નથી
ખંડપીઠે કહ્યું માથાનો દુ:ખાવો એ કોઈ બિમારી નથી. આ ફક્ત એક બિમારીના લક્ષણ છે. મહિલાએ એવુ નથી જણાવ્યું કે કયા કારણથી તેને ગંભીર અને સતત દુખાવો થયો. જેના કારણે તેણે પોતાનો અભ્યાસ છોડવો પડ્યો. ખંડપીઠે કહ્યું કે માનસિક વિકૃતિથી પીડિત વ્યક્તિના બાળકો પર પણ અસર પડી શકે છે. લગ્નના 9 અઠવાડિયા બાદ તેના પિતા તેને ઘરે લઇ ગયા.
અપીલ કરનાર પતિનું જીવન બરબાદ થઇ ગયુ: હાઈકોર્ટ
ખંડપીઠે કહ્યું આ પ્રક્રિયામાં દુર્ભાગ્યવશ અપીલ કરનાર પતિનું જીવન બરબાદ થઇ ગયુ છે અને તેઓ કોઈ સંકલ્પ વગર 16 વર્ષથી આ સંબંધમાં ફસાઈ ગયો છે. પોતાના જીવનના સૌથી મહત્વના વર્ષોમાં જ્યારે અપીલ કરનાર, વૈવાહિક આનંદ અને સંતુષ્ટિનો આનંદ ઉઠાવે છે. તેને ફક્ત મહિલા નહીં પરંતુ તેના પિતાની જીદના કારણે પીડિત થવુ પડ્યુ. એવામાં તેઓ મહિલાની વાતને ફગાવીને તેને 10 હજાર રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપે છે.