ભારતના ઉચ્ચ સંવૈધાનિક પદો પર હોદ્દા ધરાવતી વ્યક્તિઓની ગાડીઓએ પણ રજિસ્ટ્રેશન નંબર લેવાનો રહેશે. દિલ્હી હાઈકોર્ટે બુધવારે લીધેલા નિર્ણયમાં આ વાત કહી. કોર્ટે કહ્યુ છે કે આ પદો પર બેઠેલા લોકોની ગાડિઓનું પણ રજિસ્ટ્રેશન થશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ અને ઉપરાજ્યપાલોના વાહન હવે નંબર પ્લેટની સાથે નજર આવશે.
જણાવી દઈએ કે ભારતના રાષ્ટ્રપતિ ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યોના ગવર્નરની ગાડીઓની નંબરપ્લેટ પર કોઈ પણ નંબર હોતો નથી. આ ગાડીઓની નંબર પ્લેટ પર ફક્ત રાષ્ટ્રિય ચિન્હ (અશોક ચક્ર) હોય છે.
હકીકતમાં એક એનજીઓએ અરજી કરીને કહ્યુ હતુ કે નંબરપ્લેટ વગરની ગાડીઓને આતંકવાદી નિશાન બનાવી શકે છે કેમકે આ ગાડીઓ પર તરત ધ્યાન જાય છે. તેની સાથે એ પણ કહેવામાં આવ્યુ છે કે તેનો એક્સીડેન્ટ થવાની સ્થિતિમાં કારના અસલી માલિકની ઓળખ કરવી પણ મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં ગાડીમાં નંબર પ્લેટનું હોવું જરૂરી છે.