દિલ્હી હાઈકૉર્ટે AIR INDIAના એ નિર્ણયને રદ કરી દીધો છે જેમાં ગયા વર્ષે ઓગસ્ટમાં પાયલોટોને નોકરીમાંથી છૂટા કર્યા
દિલ્હી હાઈકૉર્ટે AIR INDIAના એ નિર્ણયને રદ કરી દીધો છે
દક્ષિણ ક્ષેત્રમાં 18 કેબિન કૃ મેમ્બર્સની સેવાઓ સમાપ્ત કરી દેવાઈ
હવે એર ઈન્ડિયા પાસે કંપની વેચ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી
દિલ્હી હાઈકૉર્ટે AIR INDIAના એ નિર્ણયને રદ કરી દીધો છે
દિલ્હી હાઈકૉર્ટે AIR INDIAના એ નિર્ણયને રદ કરી દીધો છે જેમાં ગયા વર્ષે ઓગસ્ટમાં પાયલોટોને નોકરીમાંથી છૂટા કર્યા. કોર્ટે દરેક પાયલટને તત્કાલ રૂપે ફરીથી નોકરીમાં સામેલ કરવાનું કહ્યું છે. આ લોકોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ પણ સામેલ છે જે લોકોને એર ઈન્ડિયાએ છૂટા કરી દીધા હતા. એર ઈન્ડિયાના વીવીઆઈ ફ્લાઈટના ભાડા પર કુલ 498.17 કરોડ રુપિયાનો ખર્ચ છે. સામાન્ય રીતે વિભિન્ન સરકારી વિભાગોના ક્રેડિટ પીરિયડ 15થી 30 દિવસનો હોય છે. આ ક્રેડિટ પીરિયડની અંદર પેમેન્ટ નહીં કરવા પર કોઈ વ્યાજ પણ આપવું પડતું નથી. એર ઈન્ડિયાએ હાલમાં ડોમેસ્ટિક ઉધારકર્તા પાસેથી થોડા સમય માટે 225 કરોડ રુપિયા લોન લીધી છે. જેથી તે પોતાની જૂની લોન રિફાઈનેન્સ કરી શકે.
દક્ષિણ ક્ષેત્રમાં 18 કેબિન કૃ મેમ્બર્સની સેવાઓ સમાપ્ત કરી દેવાઈ
પાયલોટોનો આરોપ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઇનિંગ એન્ડ પર્સનલ દ્વારા થયેલી આ કાર્યવાહી ગેરવ્યાજબી છે. તેમણે આ મુદ્દે એર ઇન્ડિયા મેનેજમેન્ટને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ઇન્ડિયન કોમર્શયલ પાયલોટ્સ એસોસિએશને આ મુદ્દે એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર રાજીવ બંસલને આ મુદ્દે એક પત્ર લખ્યો છે.ICPAના પત્રમાં જણાવાયું છે કે 50 પાયલોટ્સને કંપનીના નિયમોના ભંગ બદલ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઇનિંગ એન્ડ પર્સનલ દ્વારા ગેરવ્યાજબી ટર્મિનેશન લેટર મળ્યા છે. સંગઠને એક ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે અમારા 50 પાયલોટ્સની સેવાઓ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના રાતોરાત જ સમાપ્ત કરી દેવામાં આવી છે. આ મહામારી સમયે દેશની સેવા કરનારા પાયલોટ્સ માટે આ જબરદસ્ત આંચકો છે. આ ઉપરાંત, દક્ષિણ ક્ષેત્રના ઘણા કેબિન કૃ મેમ્બર્સ જેમણે તેમની પાંચ વર્ષની નોકરીની મુદત પૂર્ણ કરી છે તેના માટે કોન્ટ્રાકટ રિન્યુઅલ કરવામાં આવ્યું નથી. આવા મેમ્બર્સની સંખ્યા લગભગ 18 હોવાનું જાણવા મળ્યું છે.
હવે એર ઈન્ડિયા પાસે કંપની વેચ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી
જેટ એરવેઝ બંધ થયા બાદ હવે એર ઇન્ડિયાની સ્થિતિ ખૂબ ખરાબ થઇ રહી છે. કંપનીનું કહેવું છે કે એની પાસે કર્મચારીઓને ઓક્ટોબર બાદ પગાર આપવાના પૈસા નથી. આ વાતની જાણકારી બે મોટા સરકારી અધિકારીઓએ આપી છે. નામ ના જણાવવાની શરતે અધિકારીએ જણાવ્યું કે સરકારે એર ઇન્ડિયાને 7000 કરોડ ની રકમ પર સૉનરન ગેરંટી આપી હતી અને કંપની પાસે 2500 કરોડ બચ્યા છે જેનો ઉપયોગ એ જલ્દી કરી લેશે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે તેલ કંપનીઓ, એરપોર્ટ ઓપરેટરો અને અન્ય વેન્ડરોને બાકી રહેલા ચુકવવાના અને થોડા મહિનાની સેલેરી આપવાામં આ પૈસા ખર્ચ થઇ જશે. એર ઇન્ડિયા દર મહિને સેલેરી પર 300 કરોડ રૂપિયા ખર્ચ કરે છે અને તે 2019થી એની ચુકવણી મોડી કરી રહી છે.
સરકારે એર ઈન્ડિયાને લઈને હાથ અધ્ધર કરી દીધા છે
એક રીતે સરકારે એર ઈન્ડિયાને લઈને હાથ અધ્ધર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું તે એર ઈન્ડિયાના ખાનગીકરણ ઉપરાંત કોઈ વિકલ્પ નથી. મંગળવારે એરક્રાફ્ટ સંશોધન બિલ 2020 રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. લોકસભામાં આ બિલ માર્ચ 2020માં જ પાસ થઈ ગયું હતુ.સંશોધન બિલ પાસ થતા પહેલા હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે સરકાર એર ઈન્ડિયાને કાર્યરત રાખવાની સ્થિતિમાં નથી. કંપની પર 60 હજાર કરોડ રુપિયાનું દેવું છે. સરકારની પાસે તેને ખાનગી હાથમાં સોંપવા અથવા બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પુરીએ સદનમાં કહ્યું કે સરકાર ખાનગી ક્ષેત્રમાં તેને એટલા માટે સોંપવા માંગે છે કેમ કે તે કાર્યરત રહે.