અભિનેતાના પિતાએ અરજી કરી હતી અને અરજીમાં સુશાંતની જિંદગી પર આધારિત જેટલા પણ વિભિન્ન પ્રોજેક્ટ બની રહ્યા છે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતના જીવન પર બની રહી છે બે ફિલ્મો
સુશાંતના પરિવારજનોએ તેને હત્યાનો કેસ કહેવાનું શરૂ કર્યું
આત્મહત્યા છે કે હત્યા?
સુશાંત સિંહ રાજપૂતના જીવન પર બની રહી છે બે ફિલ્મો
સુશાંતસિંહ રાજપૂતના નિધનને 14 જૂનના રોજ એક વર્ષ પૂરું થશે. એવામાં તેના જીવન પર આધારિત ફિલ્મ "ન્યાય : ધ જસ્ટિસ" પર દિલ્હી હાઇકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે આ ફિલ્મ પર પ્રતિબંધ કરવાની ના પાડી છે. રિપોર્ટ અનુસાર, સુશાંતના પિતાએ એક અરજી કરી હતી અને આ અરજીમાં સુશાંતની જિંદગી પર આધારિત જેટલા પણ વિભિન્ન પ્રોજેક્ટ બની રહ્યા છે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી. વધુમાં તેના પિતાએ આ અરજીમાં લખ્યું હતું કે આ ફિલ્મમાં તેના દીકરાનું નામ કે પછી સુશાંત જેવા દેખાતા પાત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવે.
સુશાંતના પરિવારજનોએ તેને હત્યાનો કેસ કહેવાનું શરૂ કર્યું
સુશાંતસિંહ રાજપૂતનું 14 જૂને તેમના બાંદ્રાના મકાનમાં રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું. સુશાંત સિંહનો મૃતદેહ તેના ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો. સુશાંતના પિતા તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે દબાણ કરવાનો કેસ કર્યો છે. જોકે, પછી સુશાંતના પરિવારજનોએ તેને હત્યાનો કેસ કહેવાનું શરૂ કર્યું.
આત્મહત્યા છે કે હત્યા?
27 જુલાઈએ મુંબઈ પોલીસને એ કુરતાની ફોરેન્સિક રિપોર્ટ પણ મળી ગઈ હતી, જેમાં કુરતાના ટેંસિલ સ્ટ્રેન્થની તપાસ કરવામાં આવી હતી. કહેવાનો મતલબ એ છે કે સુશાંત જે કુરતાથી લટકતો જોવા મળ્યો હતો તે કુરતો ખરેખર સુશાંતનો વજન ઊંચકી શકે એવો હતો કે નહીં. રિપોર્ટ અનુસાર કુરતો 200 કિલો સુધી વજન સરળતાથી ઊંચકી શકે એવો હતો. જ્યારે સુશાંતનું વજન તેનાથી અડધાથી પણ ઓછું હતું. આ સાથે કુરતાના ફાઈબરનું પણ પરીક્ષણ કરાયું હતું અને એ આ જ ફાઈબર સુશાંતના ગળાની આસપાસ પણ જોવા મળ્યું હતું. જેનાથી સાબિત થાય છે કે, સુશાંતે આ આત્મહત્યા કરી હતી.