દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કુણાલ કામરા પર ફ્લાઈટ પર બેન લગાવવા માટે ડીજીસીનો ઉધડો લીધો છે. સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલે ડિસેમ્બરમાં ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં પત્રકાર અર્ણબ ગોસ્વામીને ઘેરી લીધો હતો. તેમજ તેને પ્રશ્ને પુછીને હેરાન કરી રહ્યો હતો.
4 એર લાઈન્સે કામરા પર પ્રતિબંધ મુક્યો હતો
કામરાએ બિન શરતી માફી માંગવા કહ્યું છે
જોકે કોર્ટે એર લાઈન્સના પ્રતિબંધ હટાવવા બદલ કંઈ નથી કહ્યું
આ વખતે તેણે રુબરુ અર્ણબ ગોસ્વામીને ફ્લાઈટમાં કથિત રીતે હેરાન કર્યાં હતાં. કુનાલે અર્ણબને ફ્લાઈટમાં જોઈ તેને સવાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના સવાલનો જવાબ નહી આપી અર્ણબે સંયમ અને શિસ્તતા જાળવી હતી. કુનાલે તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ ઘટનાએ હાઈકોર્ટ સુધી પહોંચી હતી.
4 એર લાઈન્સે બીજી સૂચના સુધી કામરા પર પ્રતિબંધ મુક્યો હતો
કુણાલ કામરાના આ વર્તનને પગલે ઈન્ડિગોએ 6 મહિના માટે પ્રતિબંધ લગાવ્યો હતો. આ બાદ વિમાન મંત્રી હરદીપ પુરીએ બાકીની એરલાઈન્સને કામરા પગલા ભરવા અપીલ કરી હતી. એ પછી એર ઈન્ડિયા, ગો એર, સ્પાઈજેટે પણ બીજી સૂચના સુધી કામરા પર પ્રતિબંધ મુક્યો હતો.
કામરાએ માંગણી કરી હતી કે...
કુણાલ કામરાએ ઈન્ડિગો એર લાઈન્સ પર આ પ્રતિબંધ બદલ 25 લાખની નોટિસ ફટકારી હતી. કામરાએ માંગણી કરી હતી કે તેનું સસ્પેન્સન કેન્સલ પાછું લે તેમજ બિન શરતી માફી માંગે.
હજું કામરા પર પ્રતિબંધ હટાવવા બદલ નિર્ણય લેવાયો નથી
હાઈકોર્ટમાં કામરાના વકીલે કહ્યું કે, અલગ અલગ એર લાઈન્સે કોઈ પણ તપાસ કર્યા વગર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમ આ કેસમાં પાયલોટે કોઈ ફરિયાદ દાખલ કરાવી નથી.
જજ નવીન ચાવલાએ સુનવણી દરમિયાન ડીજીસીએ પાસે જવાબ માંગ્યો હતો કે ઉડ્ડયન વિભાગે તેની સામે પગલા ભરતા પહેલા ફરિયાદ જોઈ લેવી જોઈતી હતી. હાઈકોર્ટે ડીજીસીએને જવાબ રજુ કરવા માટે ગુરુવાર સુધીનો સમય આપ્યો છે. જોકે હજું કામરા પર પ્રતિબંધ હટાવવા બદલ નિર્ણય લેવાયો નથી.