દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબીયત લથડી છે. સત્યેન્દ્ર જૈનને તાવની સાથે જ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. જેથી રાજીવ ગાંધી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે અને આવતીકાલે તેમનો રિપોર્ટ આવી શકે છે. સત્યેન્દ્ર જૈને પોતે ટ્વીટ કરીને તેમને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રીને મોડી રાતથી વધારે તાવ હતો અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. અચાનક તબિયત વધારે ખરાબ થતાં તેમને રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની ફરિયાદના આધારે તેમનો કોરોના ટેસ્ટ પણ કરાયો છે. જેનો રિપોર્ટ આવતીકાલ સુધી આવી શકે છે. તેમનું ઓક્સીજન લેવલ પણ ઘટ્યું હોવાની ફરિયાદ આવી છે.
अभी तक कोई पुष्टि नहीं हुई है, टेस्ट रिजल्ट का इंतजार है: स्वास्थ्य मंत्री सत्येंद्र जैन के बारे में पूछे जाने पर दिल्ली सीएम
આ પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અને કેજરીવાલ બે દિવસના આરામ બાદ ફરી કામ પર લાગી ગયા હતા.
अपनी सेहत का ख़्याल किए बिना आप रात दिन 24 घंटे जनता की सेवा में लगे रहे। अपना ख़्याल रखें और जल्द स्वस्थ हों। https://t.co/pmsU5fuuRP
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના સ્વાસ્થ્ય સંબંધી ટ્વીટને રીટ્વીટ કરતાં કહ્યું કે તમારી હેલ્થની કાળજી રાખ્યા વિના તમે સતત 24 કલાક જનતાની સેવામાં રહ્યા છો. તમારો ખ્યાલ રાખો અને જલ્દી સ્વસ્થ થઈ જાઓ.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. સોમવારે દિલ્હી સરકારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કલાકમાં કોરોનાના 1647 કેસ સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 42829 પર પહોંચી છે. આ મહામારીની ઝપેટમાં આવવાથી 73 લોકોના મોત થયા છે. આની સાથે કોરોનાથી થયેલો મોતનો આંત વધીને 1400 પર પહોંચ્યો છે.