દિલ્હી હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક કંપનીઓ વધુ રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે, પરંતુ લાગે છે કે તેઓ તેનો પૂરો લાભ નથી લઈ રહ્યા.
દિલ્હી હાઇકોર્ટે મોદી સરકારને અડફેટે લીધી
રસીકરણ મુદ્દે માંગી જાણકારી, વિશિષ્ટ વર્ગીકરણની શું જરૂર છે ?
કંપનીઓ વધુ રસી પૂરી પાડી શકે છે, પણ લાભ નથી ઉઠાવી રહી : હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોરોના રસીની ઉત્પાદન ક્ષમતા અંગે માહિતી આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે એવું લાગે છે કે આપણે તે વેચી રહ્યા છીએ અથવા દાન આપી રહ્યા છીએ પરંતુ તે આપણા લોકોને નથી આપી રહ્યા.
સીરમ કંપની કોવિશિલ્ડ અને ભારત બાયોટેક કોવાકસિન બનાવે છે
મહત્વનું છે કે સીરમ કંપની કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરી રહી છે, જ્યારે ભારત બાયોટેક કોવાક્સિનનું ઉત્પાદન કરી રહ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ -19 ની રસી મેળવવા માટે વિશિષ્ટ વર્ગીકરણ કરવા પાછળનું કારણ સમજાવવા જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે તબક્કાવાર રસીકરણને મંજૂરી આપી છે. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કસનું રસીકરણ કરવામાં આવ્યું છે. હવે, બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ સિવાય 45 થી 60 વર્ષની વય જૂથમાં તે લોકોને રસી આપવામાં આવી રહી છે, જેમને પહેલેથી જ કોઈ ગંભીર બીમારી છે.
આ મામલે તાકીદ અને જવાબદારીની ભાવના હોવી જોઈએ
ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે બંને સંસ્થાઓ 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક' વધુ રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે, પરંતુ લાગે છે કે તેઓ આનો સંપૂર્ણ લાભ લઈ રહ્યા નથી. ખંડપીઠે કહ્યું, 'અમે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા નથી. આપણે કાં તો તે અન્ય દેશોને દાનમાં આપી રહ્યા છીએ અથવા તેમનું વેચાણ કરી રહ્યા છીએ અને અમારા લોકોને રસી આપી રહ્યા નથી. તેથી આ મામલે જવાબદારી અને તાકીદની ભાવના હોવી જોઈએ. '
કોર્ટે દિલ્હી સરકારને કોર્ટ પરિસરમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કરવા જણાવ્યું હતું અને પૂછ્યું છે કે શું આ સુવિધાઓમાં કોવિડ -19 રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરી શકાય છે. કોર્ટ દિલ્હી બાર કાઉન્સિલની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ન્યાયિક પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને ન્યાયાધીશ, કોર્ટના કર્મચારીઓ અને વકીલો સહિતનાઓને ફ્રન્ટલાઇનના કર્મચારી તરીકે વર્ગીકૃત કરવાની માંગ કરવામાં આવી હતી.