કોરોના વાયરસના કારણે ભારતના હજારો બાળકો અનાથ થયા છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા વિવિધ સહાયની જાહેરાત કરવામાં આવી છે.
મહામારીના કારણે ભારતના અનેક પરિવારો વિખાયા
હજારો બાળકોએ ગુમાવ્યા માતા પિતા
નિઃસહાય બાળકો સામે શિક્ષણ મેળવવાનો મોટો પડકાર
મધ્યમ વર્ગ પડી ભાંગ્યો
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ફેફસામાં નુકસાન કરતી બીમારીએ કેટલાય પરિવારનો 'શ્વાસ' છીનવી લીધો. મહામારીના કારણે મધ્યમ વર્ગ પડી ભાંગ્યો. હજારો બાળકોએ માતાની હૂંફ અને પિતાની છાયા ગુમાવી, કેટલાય ઘરના ચિરાગ ઓલવાઈ ગયા. જે દેશમાં શિક્ષણ એક બિઝનેસ છે ત્યાં માતા-પિતા વગર બાળકો નોધારા થઈ ગયા, એવામાં દેશની ઘણી સરકારોએ આ અનાથ બાળકો માટે સહાયની જાહેરાત પણ કરી છે.
રાજ્ય સરકારો દ્વારા આર્થિક સહાય
જે તે રાજ્યની સરકાર જ રાજ્યની પ્રજાની પાલક છે, એવામાં મહામારીના કારણે અનાથ થઈ ગયેલા બાળકોની જવાબદારી પણ સરકારની જ છે ત્યારે ગુજરાત સહિતની સરકારોએ અનાથ બાળકોની સહાય માટે જાહેરાત કરી છે. બાળકોના ભરણપોષણ માટે આ આર્થિક સહાય ક્યાંકને ક્યાંક મદદરૂપ થઈ શકે છે.
ગુજરાતમાં બાળકના પાલકને મળશે 4 હજાર રૂપિયા
ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે અનુસાર જે બાળકોએ પોતાના માતા પિતા કોરોના વાયરસના કારણે ગુમાવ્યા છે તેમના પાલકને ચાર હજાર રૂપિયા માસિક સહાય આપવામાં આવશે. આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી મળતી રહેશે.
ऐसे बच्चे जिन्होंने कोरोना की वजह से अपने माता पिता को खो दिया, ऐसे सभी बच्चे अपने आप को अकेला और बेसहारा ना समझें, मैं हर वक्त उनके साथ खड़ा हूँ।
उन्हें एकमुश्त मुआवज़े के अलावा 25 साल की उम्र तक ₹2,500 हर महीने हर बच्चे को दिए जाएंगे और उनकी शिक्षा मुफ़्त होगी pic.twitter.com/2UZo9aWFoO
દિલ્હીમાં શિક્ષણનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે
દિલ્હીના સીએમ કેજરીવાલે પ્રજાજોગ સંબોધનમાં કહ્યું હતું કે જે બાળકોએ માતા પિતા ગુમાવી દીધા છે તે પોતાને નિઃસહાય ન સમજે. તેમને 25 વર્ષની ઉંમર સુધી 2500 રૂપિયાની આર્થિક મદદ તથા મફત શિક્ષણ આપવામાં આવશે. આ સિવાય દિલ્હીમાં કોરોનાથી થયેલા પ્રત્યેક મૃત્યુ પર 50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે તથા જેમના ઘરમાં કમનાર મોભીનું મૃત્યુ થયું છે તે પરિવારને દર મહિને અઢી હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે.
Govt. of Kerala will provide a special package for children who have lost their parents to #Covid19. ₹3,00,000 will be given as immediate relief and a monthly sum of ₹2,000 will be issued till their 18th birthday. Educational expenses will be covered till graduation.
કેરળમાં 3 લાખ+શિક્ષણ+2 હજાર રૂપિયા માસિક પેન્શન
કેરળમાં ગઇકાલે જ સીએમ પિનરાઈ વિજયન દ્વારા આ દિશામાં મોટું એલાન કરવામાં આવ્યું છે. કેરળમાં જે બાળકોએ કોરોના વાયરસના કારણે પોતાના વાલી ગુમાવી દીધા છે તેમના માટે સ્પેશ્યલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પહેલા તાત્કાલિક 3 લાખ રૂપિયાનું વળતર તથા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને બીજા 2 બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. આટલું જ નહીં બાળક સ્નાતક (ગ્રેજ્યુએશન) કરે ત્યાં સુધીનો શૈક્ષણિક ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવશે.