2012ના નિર્ભયા રેપ અને હત્યાકાંડ મામલે દિલ્હી સરકારે એક આરોપીની દયા અરજીને રદ્દ કરી છે. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને આ મામલામાં અરવિંદ કેજરીવાલની સરકારની ભલામણ બાદ આ ફાઇલને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલી આપી છે.
નિર્ભયા રેપ કેસના દોષિતને રાહત નહીં
દિલ્હી સરકારે કહ્યું- આવા કેસમાં દયા દાખવવી યોગ્ય નથી
સરકારે ભલામણપત્રમાં દયા અરજી રદ કરવા LGને કહ્યું
ચારમાંથી ફક્ત એક આરોપીએ દયા અરજી દાખલ કરી છે. આ અરજી 4 નવેમ્બરના દાખલ કરવામાં આવી છે. ભલામણમાં જણાવવામાં આવ્યુ છે કે દયા અરજીના રજૂ કરતાએ અંત્યંત માનવતાનો ગંભીર અપરાધ કર્યો છે. આવા અત્યાચારને રોકવા જરૂરી છે. આ કેસમાં ઉદાહરણ રૂપ દંડ કરવામાં આવે. દયા અરજીનો કોઇ આધાર નથી. આને રદ્દ કરવાની ભલામણ કરીએ છીએ. અગાઉ નિર્ભયાના મા-બાપ પણ રાહત ન આપવા કહી ચૂક્યા છે.
Delhi Minister (Home) Satyendar Jain's noting on recommendation to reject mercy petition applied by one of the convicts in Nirbhaya case: This is the most heinous crime of extreme brutality committed by the appellant. 1/2 https://t.co/x6PBwTck0Ppic.twitter.com/gMbjTlpg4M
ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસના 4 દોષિયોમાં ફક્ત એક વિનય શર્માએ જ દયા અરજી દાખલ કરી છે. તિહાડ જેલે અદાલતને જણાવ્યુ હતું કે આ મામલાના ચારેય આરોપીઓમાંથી 4 નંબરના એક આરોપીએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે, જે સરકાર પાસે મોકલી આપવામાં આવી છે.
જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું કે કોર્ટ ગુનેગારોની પેન્ડિંગ અરજીઓ વિશે તેની પાસેથી જ જાણવા માંગે છે. તેની સાથે જ ચારેય ગુનેગારોને 13 ડિસેમ્બરે કોર્ટની સામે રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.