દેશમાં લૉકડાઉનને હજી 7 દિવસ બાકી છે ત્યારે 5 રાજ્યોએ 16 તારીખ સુધી લૉકડાઉન વધારવાની માંગ કરી છે. તેઓએ આ માંગ કેન્દ્ર સરકારને કરી છે અને શક્ય છે કે આ અંગેનો નિર્ણય સોમવારે લેવામાં આવશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાં લૉકડાઉન વધારાય તેવી શક્યતા રાખવામાં આવી રહી છે.
દેશમાં લૉકડાઉન લંબાવવાની અટકળોએ પકડ્યું જોર
દેશના 5 રાજ્યોએ કેન્દ્ર સરકારને લંબાવવાની કરી વાત
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં લૉકડાઉન વધારાય તેવી શક્યતા
આ ઉપરાંત અન્ય છ રાજ્યો ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક કહે છે કે તેઓ કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરશે. બીજી તરફ, આસામ, કેરળ અને બિહારનું કહેવું છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોની વીડિયો કોન્ફરન્સ બેઠક બાદ સોમવારે નિર્ણય લેશે.
આ રાજ્યએ લૉકડાઉન 17મે સુધી લંબાવ્યું છે
તેલંગાણા એકમાત્ર એવું રાજ્ય છે જેણે લૉકડાઉનનો સમય 17 મે સુધી લંબાવ્યો છે. આ સમયગાળાની સમાપ્તિના બે દિવસ પહેલા તેઓ આગળનો નિર્ણય લેશે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે મુંબઇ અને પુનાના કન્ટેન્ટ ઝોનમાં લોકડાઉન લંબાવી દીધું છે. 18 મે સુધીમાં, રાજ્યના 92 ટકા કેસ અહીં નોંધાયા હતા.
લૉકડાઉન 3 મે પછી વધુ 15 દિવસ માટે લંબાવાય તેવી શક્યતા
સોમવારે વડા પ્રધાન સાથેની વીડિયો કોન્ફરન્સમાં લૉકડાઉન અંગે વધુ ચર્ચા કરવામાં આવશે. જો જરૂરી હોય તો, લૉકડાઉન 3 મે પછી વધુ 15 દિવસ માટે લંબાવાશે. તે ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં વધારી શકાય છે. આખા મુંબઈ અને પૂના માટે નહી વધારાય તેવી પણ શક્યતા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ છે. અહીં, ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર પાડોશમાં આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. તે જ સમયે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પણ દુકાનો ખોલતા પહેલા રાહ જોઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, કોરોના કેસ જોતા યુપી માટે સંકટનો સમય છે. કરિયાણા, દવાઓ અને 11 પ્રકારના ઉદ્યોગો જેવી આવશ્યક ચીજવસ્તુઓ વેચતી સરકારને પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે. અમે આ ક્ષણે વધુ દુકાનો ખોલવાની મંજૂરી આપીશું નહીં.