કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 30 કેસની પુષ્ટી થઇ ચૂકી છે. હવે દિલ્હી સરકારે કોરોના વાયરસ (Coronavirus)ને પગલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ દિલ્હીની તમામ પ્રાઇમરી સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ દિલ્હીની તમામ પ્રાઇમરી સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્ણય લીધો
દિલ્હી સરકારની ઓફિસોમાં બાયોમેટ્રિક અટેન્ડ્ન્સ પર પણ રોક લગાવી દેવામાં આવી છે
આ ઉપરાંત દિલ્હી સરકારની ઓફિસોમાં બાયોમેટ્રિક અટેન્ડ્ન્સ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
મનીષ સિસોદિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે 31 માર્ચ સુધી દિલ્હીની પ્રાઇમરી સ્કૂલ બંધ રહેશે, એટલે કે પાંચમી ક્લાસ સુધીના બાળકોની તમામ સ્કૂલો બંધ રહેશે. દિલ્હી સરકાર આ નિર્ણય કાલે એટલે કે શુક્રવારે 6 માર્ચથી લાગુ થશે. તેમા સરકારી, પ્રાઇવેટ, એડેડ, એનડીએમસી તમામ સ્કૂલો સામેલ છે. અમે કોરોના વાયરસ (Coronavirus) ને લઇને તમામ સ્કૂલોને એડવાઇઝરી જારી કરી છે.
જ્યારે કોરોના વાયરસને રોકવા દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ પગલુ ઉઠાવ્યું છે. દિલ્હી સરકારે અસ્થાઇ રૂપે પોતાની ઓફિસોમાં બાયોમેટ્રિક અટેન્ડેન્સ પર રોક લગાવી દીધી છે.
કેન્દ્ર સરકારે શું કહ્યું ?
કોરોના વાયરસને લઇને લોકોની વચ્ચે એક ડરનો માહોલ છે. જોકે, કોરોના વાયરસથી ડરવાની જગ્યાએ જાગરુક રહેવાની જરૂર છે. કેન્દ્ર સરકારે પોતાની તૈયારીઓને લઇને કહ્યું છે કે સરકાર તેનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. કોઇએ વાયરસથી ડરવાની જરૂર નથી.