કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારીના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવેલ છે. તો આજથી લૉકડાઉન-4 પૂર્ણ થવાનું છે અને 1 જૂનથી અનલોક-1ની શરૂઆત થઇ રહી છે ત્યારે લૉકડાઉનને કારણે સમગ્ર દેશના અર્થતંત્રને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આજે દિલ્હી સરકારે એક નિવેદન આપી સૌને ચોંકાવી દીધા હતા.
દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાનું નિવેદન
કર્મચારીઓનો પગાર આપવાના પણ પૈસા નથી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી મનીષ સિસોદિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર પાસે કર્મચારીઓને પગાર આપવા માટે સંકટ ઉભુ થયું છે.
So I have requested central govt to grant us Rs 5000 Crore. I have written to the Union Finance Minister to provide us this immediate assistance as Delhi govt has not received the fund sanctioned to states under Disaster Relief Fund. Delhi is facing financial issues: Delhi Dy CM https://t.co/PFsquJSK69
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ગત 2 મહિનામાં ટેક્સ વસૂલાતને કારણે સરકાર પાસે એક હજાર કરોડની મહેસૂલ થઇ હતી. તો સ્ત્રોતોથી 725 કરોડ રૂપિયા તીજોરીમાં પડ્યા હતા.
કેન્દ્ર સરકાર પાસે માગી મદદ
We reviewed Delhi govt's revenue & its min.expenses. It needs around Rs 3500 Cr/month to pay salaries&bear office expenses. In last 2 months GST collection was Rs 500 Cr each. Combining that with other sources, the govt has Rs 1735 Cr. We need Rs 7000 Cr,for 2 months: Delhi Dy CM pic.twitter.com/woXPsEw9ZO
તેમણે જણાવ્યું કે, દિલ્હી સરકારે પગાર રૂપે મહિને 3500 રૂપિયા ચૂકવવાના છે, પરંતુ સરકાર પાસે માત્ર 1725 કરોડ રૂપિયા છે. સિસોદિયાએ કહ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે કેન્દ્ર સરકાર પાસે 5000 કરોડ રૂપિયા માંગ્યા છે. આ અંગે તેમણે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર પણ લખ્યો છે.