દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મંગળવારે પોતાનું બજેટ રજૂ કરી રહી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સદનમાં ઇ-બજેટ રજૂ કર્યું.
મહિલા મહોલ્લા ક્લીનિક, ફ્રી વેક્સિનનો વાયદો
દિલ્હીમાં હવે 500 જગ્યાઓ પર તિરંગા લહેરાવવામાં આવશે
દિલ્હીની શાળાઓમાં હવે એક પીરિયડ દેશભક્તિ અંગે ભણાવાશે
દિલ્હી સરકારના બજેટની થીમ દેશભક્તિ રહી. દિલ્હીમાં આ વર્ષ માટે 69 હજાર કરોડ રૂપિયા બજેટ રજૂ કરવામાં આવ્યું. દિલ્હીના નાણા મંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, આ વખતે લોકો માટે યોજનાનો ખર્ચ 55 ટકા જ્યારે સરકારી ખર્ચ 45 ટકા રહેશે.
દિલ્હી સરકારના બજેટનું મુખ્ય એલાન
મહિલા મહોલ્લા ક્લીનિક, ફ્રી વેક્સિનનો વાયદો
દિલ્હીમાં દરરોજ 45 હજાર વેક્સિન લગાવવામાં આવી રહી છે, જલ્દીથી આ ક્ષમતા 60 હજાર સુધી પહોંચી જશે. દિલ્હીના લોકોને સરકાર હોસ્પિટલોમાં વેક્સિન આગળ પણ ફ્રી મળતી રહેશે.
દિલ્હીમાં આગામી વર્ષથી મહિલા મહોલ્લા ક્લીનિકની શરૂઆત કરવામાં આવશે. જેમાં મહિલાઓ સાથે જોડાયેલી બીમારીઓના સ્પેશલિસ્ટ ડૉક્ટરોને તૈનાત કરવામાં આવશે. શરૂઆતમાં 100 ક્લીનિક ખોલવામાં આવશે, જ્યારબાદ વધારવામાં આવશે.
દિલ્હીના દરેક નાગરિકને હેલ્થ કાર્ડ આપવામાં આવશે, આ સિવાય દરેક વ્યક્તિનો ઓનલાઇન હેલ્થ ડેટા તૈયાર કરવામાં આવશે. તેનાથી દરેક પરિવારની બીમારીનો રેકોર્ડ ડોક્ટરોની પાસે રહી શકશે. દિલ્હીમાં સ્વાસ્થ્યનું કુલ બજેટ 9934 કરોડ કરવામાં આવ્યું છે, જે કુલ બજેટના 14 ટકા છે.
દિલ્હી સરકાર દ્વારા સ્થાનિક પાલિકાઓને 4 હજાર કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે, આ સિવાય સ્ટાંપ શુલ્ક, પાર્કિંગ શુલ્ક પણ પાલિકાઓને આપવામાં આવશે.
દેશભક્તિ માટે કેજરીવાલ સરકારનું એલાન
દિલ્હીમાં 12 માર્ચથી દેશભક્તિના કાર્યક્રમ શરૂ થશે, જેમાં આગામી વિઝનને દર્શાવવામાં આવશે. ભગતસિંહના જીવનથી જોડાયેલા કાર્યક્રમોને દર્શાવવા માટે 10 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા. આ સિવાય બાબા સાહેબ આંબેડકરના નામ પર જે કાર્યક્રમ થશે, તેના માટે પણ 10 કરોડ રૂપિયા ફાળવાયા છે.
કનૉટ પ્લેસની જેમ જ દિલ્હીમાં હવે 500 જગ્યાઓ પર તિરંગા લહેરાવવામાં આવશે. સાથે દિલ્હીની શાળાઓમાં હવે એક પીરિયડ દેશભક્તિ અંગે ભણાવાશે. અમે દરેક વ્યક્તિને કટ્ટર દેશભક્ત તરીકે તૈયાર કરીશું, જેથી તેઓ નિયમોનું પાલન કરે.
દિલ્હીમાં યૂથ ફૉર એજ્યુકેશનના નામથી પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા ભણેલા ગણેલા નાગરિકો ઓછી સુવિધા વાળા બાળકોને તૈયાર કરી શકે.
દિલ્હીમાં નવી સૈનિક શાળા બનાવવામાં આવશે અને એક આર્મ્ડ ફોર્સ પ્રી-પેયરિંગ એકેડમી બનાવવામાં આવશે. શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની આર્થિક મદદની યોજના ચાલુ રહેશે.
દિલ્હીની અલગ અલગ કોલોનિયોમાં હવે સરકાર તરફથી યોગ, ધ્યાન ગુરૂ ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના માટે 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દિલ્હીમાં આ વર્ષે 75 વર્ષથી વધુ ઉંમર વાળા લોકોનું સન્માન કરવામાં આવશે, આના માટે અલગ અલગ જગ્યાઓ પર સન્માન સમારોહ કરવામાં આવશે.
શિક્ષા ક્ષેત્ર માટે કેજરીવાલ સરકારનું એલાન
દિલ્હીના 11-12માં ધોરણના બાળકોને બિઝનેસ આઇડિયા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેનો આઇડિયા સારો હશે તેને 2000 રૂપિયા આપીને પ્લાન તૈયાર કરવા કહેવામાં આવશે. વિજેતાઓનું સન્માન થશે અને પ્રદર્શની પણ લાગશે.
દિલ્હીમાં નર્સરીથી 8માં ધોરણ સુધી નવો કોર્સ આવશે. દિલ્હીનું પોતાનું બોર્ડ બનાવવામાં આવશે. પ્રાઇમરીથી જ બાળકોને ગોખવાના બદલે તેને બદલીને બાળકોને સમજાવવા પર ફોકસ કરવામાં આવશે.
દિલ્હીમાં અંદાજિત 100 સ્કૂલ ઓફ એક્સીલેન્સ બનાવવામાં આવશે. જેમાં 9માં ધોરણથી 12માં ધોરણ સુધીની સ્કૂલ સામેલ કરવામાં આવશે.
દિલ્હીમાં બાળકોને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરાવવામાં આવશે, જેથી તેમને નોકરી માટે તૈયાર કરી શકાય.
દિલ્હી સરકારે શિક્ષા ક્ષેત્ર માટે 16 હજાર કરોડથી વધુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.