પાંચ તબક્કાઓ બાદ લોકસભા ચૂંટણીની લડાઇ હવે રાજધાની દિલ્હી સુધી પહોંચી છે. દિલ્હીમાં મતદાન પહેલા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જંગ જામ્યો છે.
AAP નેતા અને પૂર્વી દિલ્હીથી લોકસભા ઉમેદવાર આતિશીએ ગુરૂવારે ખેલાડીમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીર પર તેમના વિરૂદ્ધ અભદ્ર પત્રિકાઓના વિતરણનો આરોપ લગાવ્યો હતો. આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં રડતા ગંભીર વિરૂદ્ધ મોરચો ખોલ્યો, તો ગૌતમે પણ પલટવાર કર્યો છે.
શુક્રવાર સવારે પણ ગૌતમે અરવિંદ કેજરીવાલ પર પલટવાર કર્યો હતો. ગૌતમ ગંભીરે કહ્યું કે આજે સારા લોકો રાજનીતિમાં આવવા નથી માંગતા, કારણ કે અરવિંદ કેજરીવાલ જેવા લોકોની સામે ઉભા રહેવા નથી માંગતા. કેજરીવાલ સતત સંકૂચિત માનસિકતાની રાજનીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે.
BJP East Delhi candidate, Gautam Gambhir on AAP candidate Atishi: I condemn what has happened. I am from a family where I have been taught to respect women. I didn't know CM Arvind Kejriwal would stoop so low. I have filed a defamation case. pic.twitter.com/Dgrov90Pql