દિલ્હીમાં વહેલી સવારે રાની ઝાંસી રોડ પર ભીષણ આગમાં અત્યાર સુધી 43 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તબીબોએ કહ્યું કે લોકોને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જે બાદ ઘણાને મૃત ઘોષિત કરવામાં આવ્યા. ગૂંગળામણનાં કારણે અનેક લોકોના મૃત્યુ થયાં છે. ઈજાગ્રસ્ત લોકોમાં ઘણા 50 ટકાથી વધુ દાઝી ગયા છે જેમની સારવાર ચાલુ છે.
મુખ્યમંત્રીએ ઘટનાસ્થળ પર પહોંચી મદદની જાહેરાત કરી
મોટા ભાગનાં લોકોનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું
ફેકટરીમાં 100થી 150 લોકો કામ કરતા હતા
પોલીસે બિલ્ડિંગ માલિક રેહાનની ધરપકડ કરી
દિલ્હીના ફિલ્મિસ્તાનના ગોડાઉનમાં આગ લાગતા 43 લોકોના મોત થયા છે. ત્યારે હવે આગ મામલે બિલ્ડીંગના માલિક રેહાનની પોલીસે ધરપકડ કરી છે. આઈપીસી કલમ 304 હેઠળ બિલ્ડીંગના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા રેહાનની પુછપરછ કરવામાં આવી રહી છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારે કરી સહાયની જાહેરાત
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિજનોને 10-10 લાખ અને ઇજાગ્રસ્તોને 1-1 લાખની સાથે મફત સારવારનું એલાન કર્યું છે. મહત્વનું છે કે, PM મોદીએ પરિજનોને 2-2 લાખ, ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાયનું એલાન કર્યું છે.
PM @narendramodi announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to the tragic fire in Delhi.
PM has also approved Rs. 50,000 each for those seriously injured in the fire.
ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
દિલ્હીમાં રવિવારે સવારે અનાજ મંડીમાં આગ લાગી હતી. જેમાં ગૂંગળામણનાં કારણે કેટલાક લોકોના જીવ ગયાં તો કેટલાક આગના કારણે. અનાજ મંડી બાદ આગ ત્રીજા માળ પર પેકેજીંગ ફેક્ટરી સુધી આગ પહોંચી ગઈ. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે મૃત્યુનો આંક હજુ પણ વધી શકે છે. ઘટનાસ્થળ પર જવામાં પોલીસને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આગનું કારણ શોર્ટ સર્કીટ બતાવવામાં આવ્યું છે જોકે વધુ તપાસ થયા બાદ જ કોઈ કારણ જાણી શકાય છે. આગ લાગ્યાં બાદ લોકો ત્યાંથી નીકળી ન શક્યાં જે બાદ આટલા લોકોના મોત થયા છે.
ઈમારતમાં બેગ બનાવવાનું કામ પણ કરવામાં આવે છે
નોંધનીય છે કે રાણી ઝાંસી રોડ પર ગલીઓ ખુબ સાંકડી છે. જેથી ફાયર વિભાગની ટીમને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ખુબ સમય લાગી ગયો. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોનું કહેવું છે કે મૃતકોમાં મોટા ભાગના બહારના લોકો છે. આ ઈમારતમાં 100થી 150 લોકો કામ કરતા હતા. આ જ ઈમારતમાં બેગ બનાવવાનું કામ પણ કરવામાં આવે છે જેથી દિવસ મજુરો ત્યાં હોય છે.
PM મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
ઘટનાસ્થળ પર ફાયર વિભાગનો સૌથી મોટો રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યો. આ પહેલાં દિલ્હીમાં ઉપહાર અગ્નિકાંડમાં 50થી વધુ લોકોનાં મોત થયા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી કેજરીવાલ ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ મૃતકોને 10-10 લાખ અને ઈજાગ્રસ્ત લોકોને 1-1 લાખ રૂપિયાની મદદની સાથે મફત સારવારની જાહેરાત કરી. વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.