પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને બહાર કઢાયા છે. ચીફ ફાયર ઑફિસ અતુલ ગર્ગે કહ્યું કે, હજુ પણ બિલ્ડિંગમાં 30થી 40 લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ત્રીજા માળે શોધખોળ ચાલી રહી છે. બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઇજાગ્રસ્તોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. બિલ્ડિંગથી સતત મૃતદેહોને કાઢવાનો સિલસિલો યથાવત્ છે. 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાઈ ચૂક્યું છે. તો ફાયર વિભાગની 100 લોકોની ટિમ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગની 27 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. CCTVના ગોદામમાંથી લાગેલી આગ પર 7 કલાક બાદ કાબૂ મેળવવામાં આવ્યો છે. દુર્ઘટનાના પગલે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરૂણ ગોયલની અટકાયત કરવામાં આવી છે.
#UPDATE | 50 rescued, 26 dead in the fire. Rescue operation continues: DCP Sameer Sharma, Outer District
રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની એક બિલ્ડીંગમાં લાગેલી આગની દુર્ઘટનાથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
Distressed by the tragic fire accident at a building near Mundka Metro Station in Delhi. My condolences to the bereaved families. I wish for speedy recovery of the injured.
— President of India (@rashtrapatibhvn) May 13, 2022
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, દિલ્હીમાં ભીષણ આગના કારણે લોકોના મોતથી ખુબ દુઃખી છું. મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારોની સાથે છે. હું ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું.
Extremely saddened by the loss of lives due to a tragic fire in Delhi. My thoughts are with the bereaved families. I wish the injured a speedy recovery.
મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની અપાશે સહાયઃ PM
પ્રધાનમંત્રી ઓફિસ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય અપાશે.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives in the fire in Delhi. The injured would be given Rs. 50,000 : PM @narendramodi
હું અધિકારીઓની સાથે સંપર્કમાં છું, મદદ માટે પહોંચી રહી છે NDRF: અમિત શાહ
દિલ્હીમાં મુંડકામાં આગ લાગવાની ઘટના ખુબજ દુઃખદ છે. હું સંબંધિત અધિકારી સાથે સતત સંપર્કમાં છું, પ્રશાસન રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યું છે. NDRF પણ ત્યાં તાત્કાલિક પહોંચી રહી છે. લોકોને ત્યાંથી કાઢવા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા અમારી પ્રાથમિકતા છે.
दिल्ली के मुंडका में आग लगने की घटना बहुत दुःखद है। मैं सम्बंधित अधिकारियों से लगातार संपर्क में हूँ, प्रशासन राहत व बचाव कार्य में जुटा है। NDRF भी वहाँ शीघ्र पहुँच रही है। लोगों को वहाँ से निकालना व घायलों को तुरंत उपचार देना हमारी प्राथमिकता है।
આ ઘટના વિશે જાણીને દુઃખ થયુંઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ દુ:ખદ ઘટના વિશે જાણીને આઘાત અને દુઃખ થયું. હું સતત અધિકારીઓના સંપર્કમાં છું. અમારા બહાદુર ફાયરમેન આગને કાબૂમાં લેવા અને જીવ બચાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. ભગવાન સૌનું ભલું કરે.
Shocked and pained to know abt this tragic incident. I am constantly in touch wid officers. Our brave firemen are trying their best to control the fire and save lives. God bless all. https://t.co/qmL43Qbd88
PCR કોલથી મળી માહિતી
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 24 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રાત્રે લગભગ આઠ વાગ્યા સુધી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી.
આજે સાંજે 4.45 કલાકે એક ઓફિસમાં આગ લાગવાની ઘટના સંબંધિત પોલીસ સ્ટેશન મુંડકામાં એક પીસીઆર કોલ આવ્યો હતો. આ કોલની જાણકારી પોલીસને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને બચાવા લાગી ગયા. પોલીસ અધિકારીઓએ બ્લિડીંગની બારીઓના કાચ તોડીને લોકોને બહાર નિકાળ્યા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ બિલ્ડીંગ 3 માળની છે અને મોટા ભાગે અહીં કોમર્શિયલ ઉપયોગ માટેની ઓફિસો આવેલી છે. આગની ઘટના પ્રથમ માળેથી શરૂ થઈ હતી. કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી છે.