રાજધાની દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજની બજારમાં રવિવારે સવારે ભારે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં હાલ સુધી 40થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ચારથી પાંચ કલાકની મહેનત બાદ ફાયરબ્રિગેડની 25 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે. હાલમાં પણ રેસ્ક્યૂ કામગીરી ચાલુ જ છે.
બચાવ કામગીરી શરૂ, 40થી વધુ લોકોને બચાવાયા, 40થી વધુના મોત
ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિવારને મળશે આટલી સહાય
દિલ્લી અગ્નિકાંડને લઇ સીએમ અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ દિલ્લી સરકારે મૃતકના પરિવારજનો માટે 10-10 લાખ સહાયની જાહેરાત કરી છે. અને ઘાયલોને 1-1 લાખની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત ઇજાગ્રસ્તોને નિઃશુલ્ક સારવાર પણ અપાશે. દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દોષિતોને કડક સજા થાય તેવા પ્રયત્ન કરીશું. તો ભાજપે પણ મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે. દિલ્લી ભાજપ તરફથી મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરાઇ છે. ઉપરાંત દિલ્લી ભાજપ ઇજાગ્રસ્તોને 25-25 હજારની પણ સહાય કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Prime Minister's National Relief Fundમાંથી મૃતકો માટે 2-2 લાખ અને ઈજાગ્રસ્ત લોકો માટે 50-50 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી
Prime Minister's Office:PM Modi announced an ex-gratia of Rs 2 lakhs each from Prime Minister's National Relief Fund (PMNRF) for next of kin of those who have lost their lives due to tragic fire in Delhi. PM has also approved Rs 50,000 each for those seriously injured in the fire pic.twitter.com/b6hMgpvFcn
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ઓથોરિટીની જાણ કરી દેવામાં આવી છે અને સાથે જ તેમને શક્ય તેટલી ઝડપથી દરેક વ્યક્તિને મદદ આપવાની કામગીરી ચાલી રહી છે.
Union Home Minister Amit Shah on #delhifire incident: Have instructed concerned authorities to provide all possible assistance on urgent basis. pic.twitter.com/AvqWx9DRE2
દિલ્હીમાં બનેલી આગની દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ ટ્વિટ કરીને ઈજાગ્રસ્તોની ઝડપથી સારવાર માટે પ્રાર્થના કરી અને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમને માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.
The fire in Delhi’s Anaj Mandi on Rani Jhansi Road is extremely horrific. My thoughts are with those who lost their loved ones. Wishing the injured a quick recovery. Authorities are providing all possible assistance at the site of the tragedy.
મળતી માહિતી મુજબ અનાજના માર્કેટમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આગ પર કાબૂ મેળવવા માટે 30 ફાયર એંજીન પહોંચ્યા હતા. જોકે, આગ જોતા જ તે વધતો જ રહ્યો. ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે જ સમયે હોસ્પિટલ દ્વારા 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા
આ આગમાં અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોનો બચાવ થયો છે. તેમજ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ આગમાં ઘણા લોકો 50 ટકાથી વધુ બળી ગયા છે. આ ઉપરાંત ઘાયલોને 4 જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોને આરએમએલ, એલએનજેપી, હિન્દુ રાવ અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વહેલી સવારે અનાજ માર્કેટમાં એક મકાનને લાગી આગ
મળતી માહિતી મુજબ અનાજના માર્કેટમાં એક મકાનને આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે આગ પર કાબૂ મેળવવા માટે 30 ફાયર એંજીન પહોંચ્યા હતા. તે જ સમયે, આ આગમાં 40 લોકો બચાવવામાં આવ્યા છે. આ ઘટના સવારે 5 વાગ્યાની છે. જ્યાં ત્રણ માળની બેકરી છે. ત્યાં બાજુના ત્રણ બેકરીઓના ઉપરના માળે આગ લાગી હતી.
Sunil Choudhary, Deputy Chief Fire Officer, Delhi Fire Service on fire incident at Rani Jhansi Road: Fire has been doused, 15 people rescued so far; Rescue operation underway, 27 fire tenders engaged in the operation pic.twitter.com/9BzeEUsgau
રાહતનું કામ ચાલી રહ્યું છે, 30થી વધુ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
આ ઘટના અંગે દિલ્હી ફાયર સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનિલ ચૌધરીએ કહ્યું, 'આગને કાબૂમાં લેવામાં આવી છે. તે જ સમયે 30 થી વધુ ફાયર એન્જિનો સ્થળ પર છે અને રાહત અને રાહતનું કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ ફેક્ટરી ત્રણ મકાનોની અંદર ચાલી રહી હતી અને ત્યાં પ્લાસ્ટિકનું કામ હતું. ફાયર અધિકારીઓનું કહેવું છે કે, દિલ્હીમાં આ સૌથી મોટું બચાવ કાર્ય છે.
આ ઘટના બાદ ચીફ ફાયરએ જણાવ્યું હતું કે આ વિસ્તાર તદ્દન ભીડભાડ વાળો છે. કેટલાક લોકો હજી પણ ફસાયા છે. આ કેસમાં આગ લાગવાના કારણો હજુ જાણવા મળ્યા નથી. રાહત અને બચાવ કામગીરી ચાલુ જ છે.