દેશની રાજધાનીમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ બન્યો છે. બુધવારે મોડી રાતે બે વાગ્યાની આસાપસ કૃષ્ણા નગરની એક બિલ્ડીંગમાં અચાનક આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગની જાણ થવાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.
દિલ્હીમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ
આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો
ફાયર બ્રિગેડની ટીમે 40 લોકોનું રેસ્કયૂ કર્યું
આજરોજ દિલ્હીમાં જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે એક કબાડનું ગોડાઉન છે. ત્રણ માળના ગોડાઉનમાં મોડી રાતે આગ લાગતા દોડાદોડી જોવા મળી હતી. જો કે સૂચના મળતા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 40 લોકોને રેસ્કયૂ કરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
Delhi: Fire broke out in a building in Krishna Nagar at around 2.10 am today. 40 persons have been rescued by Delhi Fire Service (DFS).
ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે હાલ ફાયબ્રિગેડની ટીમ દ્વારા આગ પરકાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી જેને કારણે એક મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી.