દિલ્હીના દક્ષિણી વિસ્તારમાં આવેલા જાકિર નગર વિસ્તારના એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી 5 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આગની જાણ ફાયર વિભાગને થતાં 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી છે.
એક મળતાં અહેવાલ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવામાં આવી રહ્યું છે. આગ એટલી ભીષણ લાગી હતી કે ઘટનાસ્થળે રહેલી ગાડીઓ આગની ચપેટમાં આવી ગઇ હતી. જ્યારે આ દરમિયાન બિલ્ડીંગમાંથી બચવા માટે લોકોએ ઉપરના માળેથી કુદકા લગાવ્યાં હતા.
સૂત્રોને મળતી જાણકારી મુજબ આગ સોમવાર મોડી રાતે ગ્રાઉન્ડ ફલોર પર લાગી હતી અને ત્યારબાદ થોડા સમયમાં બિલ્ડીંગમાં ફેલાઇ ગઇ હતી. 7 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
જો કે સાંકડી ગલીઓ હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણી દિલ્હીમાં આવેલા આ વિસ્તારમાં ઘણા બધા મકાન છે જે નજીક-નજીક છે. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમના કર્મચારીઓને ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
Delhi Fire Service: 5 people dead & 11 injured in a fire that broke out in a multi-storey building in Zakir Nagar, late last night. pic.twitter.com/9ERr91u80i
દેશના પાટનગર દિલ્હીમાં આગ લાગવાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં 30 જૂલાઇના રોજ પશ્ચિમી દિલ્હીના જનકપુરીમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. જે સમયે બિલ્ડીંગમાં આગ લાગી હતી ત્યારે ઘણા બધા બાળકો ભણી રહ્યાં હતા. જો તેમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.