ગણતંત્ર દિવસે લાલ કિલ્લા સહિત દિલ્હીમાં અનેક જગ્યાઓ પર થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે 20 ખેડૂત નેતાઓને નોટીસ મોકલી છે.
રાકેશ ટિકૈત ગાઝિયાબાદ તંત્રને કરશે સરેન્ડર
તાત્કાલિક UPના તમામ માર્ગો ખાલી કરાવવા યોગી સરકારનો નિર્દેશ
સિંઘુ બોર્ડર જતા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા
ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂત રેલીએ હિંસક રૂપ લીધુ, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી અને પબ્લિક પ્રોપર્ટીને પણ નુકાસન પહોંચાડવામાં આવ્યું. પ્રદર્શનકારી ખેડૂતોએ લાલ કિલ્લા પર ચઢાઇ કરી દીધી. આ તમામ હંગામા બાદ પોલીસ પણ એક્શન મોડમાં છે, ધરપકડ ચાલુ છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ હિંસા મામલે રાકેશ ટિકૈત સહિતના નેતાઓને નોટિસ ફટકારાઈ છે. ટ્રેક્ટર રેલીની શરતોના ઉલ્લંઘન પર જવાબ માગ્યો છે. તાત્કાલિક UPના તમામ માર્ગો ખાલી કરાવવા યોગી સરકારે આદેશ આપ્યો છે. ત્યારે હવે રાકેશ ટિકૈત સહિતના નેતાઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. જોકે ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતે કહ્યું કે, તેઓ સરેન્ડર નથી થવા માંગતા, પરંતુ ભાજપના ધારાસભ્યોએ અમારા લોકો સાથે મારપીટ કરી છે. અમારા લોકોને રસ્તામાં મારવાનો પ્લાનિંગ છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, હવે અમે અહીંથી નહીં જઇએ, અહીં બેસીશું. રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપી. તો અહીં તેમણે અનશનનું એલાન કર્યું. તેમણે કહ્યું કે, પાણી નહીં પીઉં.
ગાઝીપુર બોર્ડર પર ઘર્ષણની શક્યતા
એક તરફ તંત્ર જ્યાં ગાઝીપુર બોર્ડરને ખાલી કરાવવામાં લાગ્યું છે તો બીજી તરફ રાકેશ ટિકૈતે કહ્યું કે, તેઓ નહીં હટે. તંત્ર અને રાકેશ ટિકૈત આમને-સામને છે, જ્યારબાદ ઘર્ષણની શક્યતા વધી ગઇ છે. રાકેસ ટિકૈતે કહ્યું કે, પોલીસ ભલે ગોળી મારી દે, અમે હટવાના નથી. તેમણે કહ્યું કે, અમે માત્ર સરકાર સાથે વાત કરીશું. અમે ઉત્તરપ્રદેશ પોલીસ તંત્ર સાથે વાત નહીં કરીએ. ભાજપના લોકો અહીં પર શું કરી રહ્યા છે.
ગાઝીપુર બોર્ડર બન્ને તરફથી બંધ
ગાઝીપુર બોર્ડરને બન્ને તરફથી બંધ કરી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસે લોકોને ગાઝીપુરથી ન જવા માટે સલાહ આપી છે. ટ્રાફિકને રોડ નં.56, અક્ષરધામ અને નિઝામુદ્દીન માટે ડાયવર્ટ કરી દેવાયા છે. ટ્રાફિક પોલીસે NH-9, NH-24થી બચવાની સલાહ આપી છે. ગાઝીપુર બોર્ડર પર કલમ 144 લગાવી દેવાઇ, વજ્ર વાહન પણ લાવવામાં આવ્યા.
તંત્રએ તમામ સુવિધાઓ હટાવી
ગાઝીપુર બોર્ડર પર તંત્રએ તમામ સુવિધાઓ હટાવી લીધી છે. તંત્ર તરફથી આ કાર્યવાહી પર રાકેશ ટિકૈતે કહ્યું કે, દેશે મને ઝંડો આપ્યો છે તો પાણી પણ આપશે. તેમણે કહ્યું કે, હું ગાઝિયાબાદનું પાણી નહીં પીઉં. ગામના લોકો પાણી લઇને આવશે ત્યારે હું પીશ.
ગાઝીપુર બોર્ડર ખાલી કરે ખેડૂતઃ SP
ગાઝીપુર બોર્ડર પર તૈનાત પ્રીત વિહારના એસપી વીરેન્દ્ર પુંજનું કહેવું છે કે, ખેડૂતોને પોતની જાતે ગાઝીપુર બોર્ડર ખાલી કરી દેવી જોઇએ. અમે તો શાંતીની અપીલ પહેલા પણ કરી હતી અને આજે પણ કરી રહ્યા છીએ.
તંત્ર અને ટિકૈતની વાતચીત નિષ્ફળ
ગાઝીપુર બોર્ડર પર તંત્રએ રાકેશ ટિકૈત સાથે થઇ રહેલી વાતચીત નિષ્ફળ થઇ ગઇ છે. રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો છે કે ભાજપના ધારાસભ્ય પોલીસની સાથે આવ્યા છે. હવે તેમની ગુંડાગીરી નહીં ચાલે.
અમે કોઇ પણ હાલતમાં પીછેહઠ નહીં કરીએ. સરેન્ડરનો સવાલ જ નથી આવતોઃ રાકેશ ટિકૈત
પોલીસે યૂપી ગેડ ખાલી કરાવવા માટે કહ્યું છે. ધરણા પૂર્ણ કરવા માટે ગાઝિયાબાદ તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રાકેશ ટિકૈતને સમજાવ્યા. તો સ્ટેજ પરથી રાકેશ ટિકૈતે ફરી ઉશ્કેરણીજનક ભાષણ કર્યુ હતું. ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈત ગાઝિયાબાદ તંત્રને સરેન્ડર નહીં કરે. ટિકૈતે કહ્યું કે, અમે કોઇ પણ હાલતમાં પીછેહઠ નહીં કરીએ. સરેન્ડરનો સવાલ જ નથી આવતો. ધરણા ચાલુ છે અમે અહીં જ બેઠા છીએ. રાકેશ ટિકૈતે રડતા રડતા કહ્યું- ખેડૂત વિરોધ કાયદો પરત નહીં લો તો આત્મહત્યા કરી લઇશ.
રાકેશ ટિકૈતે રડતા રડતા કહ્યું- ખેડૂત વિરોધ કાયદો પરત નહીં લો તો આત્મહત્યા કરી લઇશ
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે રડતા રડતા કહ્યું કે, જો ત્રણેય કૃષિ કાયદા પરત નહીં લેવામાં આવે તો હું આત્મહત્યા કરી લઇશ. મને કંઇ પણ થયું તો તંત્ર જવાબદાર રહેશે. તેમણે કહ્યું કે, હું ખેડૂતોને બરબાદ થવા નહીં દઉ ખેડૂતોને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અહીં અત્યાચાર થઇ રહ્યો છે.
હરિયાણાના 3 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ
આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધી હરિયાણામાં મોબાઇલ રિચાર્જ, ડોંગલ સેવા, 2G-3G-4G ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. સોનીપત, પલવલ અને જઝ્ઝરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે. હરિયાણા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
તાત્કાલિક UPના તમામ માર્ગો ખાલી કરાવવા યોગી સરકારનો નિર્દેશ
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન મામલે ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે આદેશ આપ્યા છે કે રાજ્યમાં આંદોલન કરી રેહલા ખેડૂતોને હટાવવામાં આવે. ખેડૂતોને ઘરે જવા કહેવાયું છે. UPના તમામ કલેક્ટરો અને SSPને નિર્દેશો કરાયા છે. તાત્કાલિક UPના તમામ માર્ગો ખાલી કરાવવા નિર્દેશ અપાયા છે.
પોલીસે ફાયરિંગ કેમ ન કર્યું?: રાકેશ ટિકૈત
લાલ કિલ્લા પર ઝંડો લગાવવા મામલે રાકેશ ટિકૈતે કહ્યું કે, હું નોટિસ વાંચીશ, તેમણે મને જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. ખેડૂત, ખેડૂત યૂનિયનોની જવાબદારીના રૂપમાં અહીં આવેલા અને તેમણે જવાબદારી લીધી. અમે લેખિતમાં આપેલા માર્ગના ફોટો ખેંચ્યા હતા. પોલીસે આને રોક્યા અને દિલ્હી માટે માર્ગ ખુલ્લો રાખ્યો. કોઇ ત્યાં જાય છે અને ઝંડો ફરકાવે છે, કોઇ ફાયરિંગ કેમ ન કરવામાં આવ્યું? પોલીસ ક્યાં હતી? તેઓ ત્યાં કેવી રીતે ગયા? હજુ પણ કંઇ નથી કરવામાં આવ્યું. તે વ્યક્તિ કોણ હતું, જેણે એક સમુદાય અને સંગઠનને ખરાબ કર્યું?
સિંઘુ બોર્ડર જતા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા
સિંઘુ બોર્ડર પર એક માત્ર પગપાળા જવાના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે અને આસપાસના ગામડાઓથી જે શેરીઓ સિંઘુ બોર્ડર પર નીકળે છે તેને સમગ્ર રીતે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે મોટી સંખ્યામાં બેરિકેડ્સ લગાવ્યા છે. આ બેરિકેડ્સ કંક્રીટના લગાવ્યા છે અને ચેનથી બાંધવામાં આવ્યા છે. કોઇ પણ ઉપદ્રવની શક્યતાને જોતા કેટલાક લેયર બેરિકેડિંગ કરવામાં આવી છે. આસપાસની તમામ શેરીઓ અને તમામ દુકાનો બંધ કરાવાઇ છે.
Some people are still present at UP Gate. Talks are going on, we've deployed spotters to look for rowdy & anti-national elements so that they don't infiltrate peaceful protests in UP. We'll talk to farmer orgs & ensure that protests are called off at the earliest: Prashant Kumar
ખેડૂત હિંસા બાદ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસ તરફથી અંદાજિત 37 ખેડૂત નેતાઓ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. જ્યાર બાદ આ તમામના પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવશે. આ નેતાઓમાં રાકેશ ટિકૈત, દર્શન પાલ, યોગેન્દ્ર યાદવ અને ગુરૂનામ સિંહ ચંદૂની જેવા નામ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, ગુનોગારોને બક્ષવામાં નહીં આવે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલન અને દિલ્હીની બોર્ડર પર શું ચાલી રહ્યું છે.
દિલ્હી પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓને લખ્યો પત્ર
દિલ્હી પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, 26 જાન્યુઆરીએ ખેડૂત આંદોલનના ઉગ્ર અને હિંસક બનવા છતા તેમણે ખુબ જ સંયમ અને સૂઝબૂઝનો પરિચય આપ્યો છે. જ્યારે તેમની પાસે બળ પ્રયોગનો વિકલ્પ હતો. તેમણે પત્રમાં પોલીસ કર્મચારીઓના સંયમ અને ધૈર્ય માટે આભાર વ્યક્ત કર્યો છે. કહ્યું છે કે, આવનારા કેટલાક દિવસો વધુ પડકાર જનક હોઇ શકે છે અને તેવામાં સચેત રહેવાની આવશ્યક્તા છે.