કૃષિ કાયદાને લઈને રાજધાની દિલ્હીની સીમા પર છેલ્લા 15 દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પત્રકાર પરિષદ મારફતે તેમણે વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન પરત ખેંચવાની અપીલ કરી હતી.
MSP, કાયદા મુદ્દે કૃષિ મંત્રીની સ્પષ્ટતા
કૃષિ કાયદાઓ અંગે સરકારનો ખુલાસો
APMCની બહાર ખેડૂતોને પાક વેંચવાની છૂટ અપાઇ
કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ કાયદાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે સંસદના સત્રમાં સરકાર ખેતી સાથે સંબંધિત ત્રણ કાયદા લાવી છે આ કાયદાઓને લઈને સંસદમાં તમામ પક્ષોના સાંસદોએ પોતાનો પક્ષ મૂક્યો હતો. લોકસભા અને રાજ્યસભામાં આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ચર્ચા દરમિયાન તમામ સાંસદોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા.
નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે આ ત્રણેય કાયદા આજે આખા દેશમાં લાગુ છે. નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ત્રણ કૃષિ કાયદા ખેડૂતોની આવક વધારવા માટે છે. સમયસર ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડુતોની જમીન સુરક્ષિત રાખવા કાળજી લેવામાં આવી છે. નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. માર્કેટની બહાર ગયા બાદ પણ ખેડૂતોને છૂટ આપવામાં આવી હતી. સાથે જ તેમણે કહ્યું કે આંદોલનકારી ખેડુતો સાથે વાતચીત ચાલી રહી છે.
Law provides that if farmer and processor enter into an agreement and the type of crops is such that some infrastructure has to be set up on the farmer's land, then the processor will dismantle his infrastructure from there after the agreement concludes: Agri Minister#FarmLawspic.twitter.com/vNwYevkWo0
ઉલ્લેખનીય છે કે, MSP અને કૃષિ કાયદાઓ અંગે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે મોટું નિવેદન આપતા કહ્યું- નવા કૃષિ કાયદાથી MSPમાં ખેડૂતોને કોઇ નુકસાન નહીં થાય, PM મોદી ઇચ્છતા હતા કે ખેડૂતોની આવક વધે, પોતાની ઉપજ ગમે ત્યાં વેચી શકાશે. પહેલા યુરીયા ખાતરની ઘટ હતી. APMCની બહાર ખેડૂતોને પાક વેચવાની છુટ અપાઇ છે.
કોર્ટમાં જવાનો આપ્યો છે અમે વિકલ્પ
કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું કે, જેના પર ખેડુતોએ વાંધો ઉઠાવ્યો છે તેવી કાયદાની જોગવાઈઓ અંગે સરકાર ખુલ્લામને વિચારણા કરવા સંમત થઈ છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે આ કાયદો ખોટો નથી. આ કાયદાથી ક્યાંય પણ એમએસપી પ્રભાવિત થતી નથી. અમે પ્રસ્તાવ મૂક્યો હતો કે રાજ્ય સરકાર ખાનગી મંડીઓની પ્રણાલી પણ લાગુ કરી શકે છે. તે અમારા અધિનિયમમાં હતું કે ખરીદી ફક્ત પાનકાર્ડથી થઈ શકશે. પાનકાર્ડથી ખરીદી કરવા અંગેની ખેડુતોની આશંકાને સમાધાન કરવા અમે પણ સંમત થયા. જો નાનો ખેડૂત હોય, તો તે નાના ક્ષેત્રનો હશે, તેથી જ્યારે તે કોર્ટમાં જશે, ત્યાં સમય લાગશે. અમે તેનો નિરાકરણ લાવવા કોર્ટમાં જવાનો વિકલ્પ આપ્યો છે.
The entire country has witnessed that Swaminathan Commission report came in 2006, the recommendation about MSP at 1.5 times cost of production remained pending till Modi government implemented it: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/qb1lzWPgfV
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત સંગઠનોને સરકાર દ્વારા મોકલવામાં આવેલ સંશોધન પ્રસ્તાવ પર વિચારણા કરવા વિનંતી કરી હતી અને એમ પણ કહ્યું હતું કે, જ્યારે પણ તમે કહો છો અમે ચર્ચા માટે તૈયાર છીએ. 2006 માં, સ્વામિનાથન અહેવાલ આવ્યો, લાંબા સમય સુધી પ્રતીક્ષા કરી પણ દોઢ ગણી એમએસપી લાગુ કરવામાં આવી નહીં. મોદી સરકારમાં આવ્યા પછી તેમણે કિંમતના ભાવો પર પચાસ ટકા નફો આપીને એમએસપીની ઘોષણા કરી, જેનાથી સમગ્ર દેશને ફાયદો થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમને લાગ્યું છે કે લોકો કાનૂની પ્લેટફોર્મનો સારી રીતે લાભ લેશે. ખેડુતો મોંઘા પાક તરફ આકર્ષિત થશે. નવી તકનીક સાથે જોડાશે. વાવણી સમયે, તેને ભાવની બાંયધરી મળશે.