સરકાર અને ખેડૂતોની વચ્ચેની લડાઈ મજબૂત બની રહી છે. કેન્દ્રના પ્રસ્તાવને ખેડૂતોએ એક રીતે નકારી દીધો છે. ખેડૂતોએ નવો કાયદો પરત લાવવા માટે આંદોલનને વધારે ઝડપી બનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતો હવે દિલ્હીને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. 12 ડિસેમ્બરે દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરશે. ખેડૂત નેતાએ કહ્યું કે હવે તો સંશોધન નહીં પણ કાયદો પાછો લેવાની વાત માટે સરકારના આમંત્રણની રાહ જોઈ રહ્યા છીએ.
સરકાર અને ખેડૂતોની વચ્ચેની લડાઈ મજબૂત બની
12 ડિસેમ્બરે દિલ્હી-જયપુર અને દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ
કાયદો પાછો લેવાય તેની જોવાઈ રહી છે રાહઃ ખેડૂત નેતા
આ સિવાય ખેડૂતો 14 ડિસેમ્બરે દેશમાં ધરણાં ધરશે. આ સમયે પણ સરકાર નહીં સાંભળે તો ભાજપના મંત્રીઓ અને નેતાઓને ઘેરવામાં આવશે. કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર ખેડૂતો અટક્યા છે. તેમને લાગે છે કે જે હિત અને હક માટે તેઓ 14 દિવસથી ખુલ્લા આસમાન નીચે રાજકીય ચળવળ ચલાવી રહ્યા છે તેમનો હક મળી રહ્યો નથી.
पूरे देश में रोज प्रदर्शन होगा। पंजाब,हरियाणा, यूपी, राजस्थान और मध्य प्रदेश में 14 तारीख को धरने लगाए जाएंगे जो धरने नहीं लगाएगा वो दिल्ली को कूच करेगा। 12 तारीख को जयपुर-दिल्ली हाईवे पर रोक लगाया जाएगा: सिंघु बॉर्डर पर किसान नेता pic.twitter.com/Afb3VGbCNH
ખેડૂત નેતા શિવકુમાર કક્કાનું કહેવું છે કે સરકારના પ્રસ્તાવમાં કંઈ નવું નથી. ખેડૂત યૂનિયન નેતાઓએ સરકારની તરફથી મોકલેલા પ્રસ્તાવને દેશના ખેડીતો માટે અપમાનજનક ગણાવાયું છે. જો કે તેઓએ કહ્યું કે જો સરકાર વાર્તા માટે નવો પ્રસ્તાવ મોકલે તો તેઓ તેની પર વિચાર કરી શકે છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે 5 વખત થઈ ચૂકી છે વાતચીત
અગાઉ 5 વખત થયેલી વાતચીતમાં કંઈ ખાસ પરિણામ આવ્યું નથી. સરકાર કૃષિ કાયદામાં સંશોધન માટે તૈયાર થઈ છે. જ્યારે ફક્ત ખેડૂત માને, પરંતુ તેઓ ઝૂકવા માટે તૈયાર નથી. તેઓએ કૃષિ કાયદો રદ્ કરેલો જોઈએ તો જોઈએ.
कृषि कानूनों के खिलाफ सिंघु बॉर्डर पर किसानों का विरोध प्रदर्शन जारी है। एक किसान ने बताया,"सरकार अभी भी लोगों की बात सुनने के लिए तैयार नहीं है। लोगों के ऊपर क्या प्रभाव पड़ रहा, क्या दिक्कत आ रही उस पर सरकार थोड़ा भी ध्यान नहीं दे रही है। सरकार जानबूझकर अड़ी हुई है।" pic.twitter.com/7HrdixfEO7
ખેડૂતોએ પોતાની તરફથી સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓ હાઈવે ભલે બંધ કરે પણ સરકાર સાથેની વાતચીત અને સંવાદને બંધ કરવા ઈચ્છતા નથી. ખેડૂત નેતા જંગવીર સિંહે કહ્યું કે સરકાર જો ફરી પ્રપોઝલ મોકલશે તો તેઓ વિચાર કરશે.
ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે
સરકાર ભલે સુધારાની લેખિત ગેરેંટી આપે પણ સરકારના પ્રસ્તાવને જોઈને તેઓએ બેઠકમાં આવેલા વિમર્શની સાથે સરકારના પ્રસ્તાવને ફક્ત દબાણ ગણાવ્યું છે અને તેઓ તેમાં આવશે નહીં. ખેડૂતો 14 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને હવે તેને વધારવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે.
जो सरकार की तरफ से प्रस्ताव आया है उसे हम पूरी तरह से रद्द करते हैं: सिंघु बॉर्डर पर क्रांतिकारी किसान यूनियन के अध्यक्ष दर्शन पाल #FarmLawspic.twitter.com/QcRIXkhCBL
સરકાર કાયદા પરત નહીં લે ત્યાં સુધી ચાલુ રહેશે આંદોલન
ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના જોઈન્ટ સેક્રેટરી સુખવિંદર સિંહે કહ્યું કે આવનારા દિવસોમાં અમારું આંદોલન ઝડપી બનશે. દેશમાં આ આંદોલન ચાલુ રહેશે. એક દિવસ માટે તેને ટોલ ફ્રી કરાશે. આ સિવાય જિલ્લા મુખ્યાલય પર ધરણાં કરાશે. 14 તારીખથી દેશના અન્ય રાજ્યોમાં પણ આંદોલન શરૂ કરાશે. સરકાર જ્યાં સુધી કાયદા પરત નહીં લે ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં અને આંદોલન ચાલું રહેશે.
ખેડૂત નેતાએ કહ્યું અમને સંશોધન મંજૂર નથી
ખેડૂત નેતા જસવીર સિંહે કહ્યું કે સરકાર ફક્ત ટાલમટોલ કરી રહી છે. અમને સંશોધન મંજૂર નથી. અમે સરકારની વાતમાં આવવા ઇચ્છતા નથી. તેઓ ત્રણેય કાયદા પરત લે તે યોગ્ય છે. જો સરકારને ખામી લાગે છે તો તેઓ કાયદો પરત શા માટે નથી લેતી. એટલા મામટે અમે આ આંદોલન વધુ ઝડપી બનાવીશું. જેથી સરકાર જલ્દી આ ત્રણેય કાયદા પરત લે.