પંજાબથી લઈને હરિયાણા સુધી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ગુરુવારે આખો દિવસ પોલીસ અને ખેડૂતોની વચ્ચે અથડામણ થઈ હતી. કેટલીક જગ્યાઓ પર વોટર કેન અને આંસૂ ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂતો દિલ્હી જવાની જિદ્દ પકડી બેઠા હતા. હરિયાણાથી દિલ્હી જઈ રહેલા ખેડૂતો હવે દિલ્હીથી વધારે દુર નથી. ખેડૂતો પાનીપત પહોંચી ચૂક્યા છે અને રાતે ખેડૂતો પાનીપતમાં રોકાયા હતા અને સવારે દિલ્હી જવા નીકળશે. જ્યારે સરકારે તેમને રોકવા માટે હરિયાણા બોર્ડરનો રોડ જ ખોદી નાંખ્યો છે.
હરિયાણા બોર્ડરનો રોડ જ ખોદી નાંખ્યો છે
અમે તેને તોડીને આગળ વધીશું રોકાઈશું નહીં- ખેડૂતો
રાજ્યના અલગ અલગ ભાગમાં કલમ 144 લગાવાઈ
ભારતીય કિસાન યુનિયનના રાજ્યના અધ્યક્ષ ગુરુનામ સિંહ ચઢુનીએ કહ્યું કે અમારી રણનીતિ ફક્ત કોઈ પણ કિંમતમાં દિલ્હી જવાની છે. ગુરુનામ સિંહ ચઢુનીએ કહ્યું કે પાનીપતમાં રાત રોકાઈ સવારે ફરી કિશાન આંદોલન શકુ કરીશું. પોલીસને જેટલું મરજી હોય તેટલા બેરિકેટ લગાવી દે, અમે તેને તોડીને આગળ વધીશું રોકાઈશું નહીં.
પોલીસે અટકાવવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો
નોંધનીય છે કે હરિયાણામાં પ્રવેશવા માટે પોલીસે અટકાવવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અથડામણ લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ સામે ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોને નુકશાન પહોચાડ્યું હતું. કોંગ્રેસ શાસિત પંજાબથી નીકળેલા ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં 'દિલ્હી ચલો' રેલી અંતર્ગત રાજધાની તરફ કૂચ કરી રહ્યા છે. આ તરફ હરિયાણા જે ભાજપ શાસિત પ્રદેશ છે ત્યાં તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો કે આખરે ખેડૂતોએ સફળતાપૂર્વક બ્રિજ પાર કરીને પોતાની રેલી આગળ વધારી હતી.
અલગ અલગ ભાગમાં કલમ 144 લગાવાઈ છે
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને લઈને દિલ્હી હરિયાણાની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી ફરીદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની 3 બટાલિયન તૈનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુંસાર આવન જાવન કરતા તમામ વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. હોમગાર્ડના જવાનો પણ તૈનાત છે. સીનિયર ઓફિસર સતત નજર રાખી રહ્યા છે. અમે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ. ખેડૂતોની રેસીને જોતા દિલ્હી એનસીઆરમાં મેટ્રો ગત દિન બંધ રાખવામાં આવી હતી. ખેડૂતોના માર્ચ વાળા દિવસો 26 અને 27 નવેમ્બરે હરિયાણા અને પંજાબની સાથે પોતાની સીમાઓ સીલ કરશે. હરિયાણા પોલીસે કહ્યું કે કોરોના સંબંધી પાબંધીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રિય રાજધાની અને માર્ચ કરવાની પરમિશન નહીં મળે. હરિયાણા સરકારે પ્રદર્શનકારીઓને જમા થવાથી રોકવા માટે રાજ્યના અલગ અલગ ભાગમાં કલમ 144 લગાવાઈ છે
શું છે ખેડૂતોની યોજના?
6 રાજ્યના ખેડૂતો (ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, કેરળ અને પંજાબ) આજથી બે મહિના પછી એટલે કે પ્રજાસત્તાક દિવસે સરકારે હાલમાં લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરવાની યોજના ધરાવે છે. ખેડૂતો આ આંદોલનમાં લાંબા સમય સુધી ચાલે તેટલા રેશન, શાકભાજી, લાકડા અને ધાબળાની વ્યવસ્થા કરી છે જેથી આંદોલન લાંબુ ચાલે તો પણ કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે.