કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પછી હવે ભાજપનાં અન્ય એક નેતાએ શાહીન બાગનાં પ્રદર્શનને લઈને શબ્દ પ્રહાર કર્યો છે. શાહીન બાગ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચારનો એજન્ડા બની ગયો છે. ત્યારે જાણો ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ શું કહ્યું...
શાહીન બાગમાં છેલ્લાં 40 દિવસથી CAAની વિરુદ્ધમાં પ્રદર્શન થઈ રહ્યું છે
દિલ્હી વિધાનસભા ચુંટણીનો આ મહત્વનો મુદ્દો બની ગયો છે
સરકારી જમીન પરની મસ્જિદો એક મહિનામાં હટાવી દઈ શું...
શાહીનબાગમાં CAAની વિરુદ્ધમાં થઈ રહેલું પ્રદર્શન દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ એક સભામાં એલાન કર્યું છે તે જો 11 ફેબ્રુઆરીએ ભાજપની સરકાર બનશે તો એક કલાકમાં શાહીન બાગ ખાલી કરાવી દઈશું. શાહીન બાગને લઈને ભાજપનાં નેતાઓ સતત નિવેદનબાજી કરી રહ્યાં છે અને આ પ્રદર્શનને રાજકારણનું સડયંત્ર ગણાવી રહ્યાં છે.
શું બોલ્યાં પ્રવેશ વર્મા?
એક સભામાં ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ કહ્યુ કે,‘આ વાત લખીને રાખજો, આ ચૂંટણી નાની મોટી ચૂંટણી નથી પરંતુ આ દેશમાં એક્તા અને સ્થિરતાની ચૂંટણી છે. 11 તારીખે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ તો તે 1 કલાકમાં શાહીન બાગમાં એક પણ માણસ દેખાય તો હું પણ અહીં છું અને તમે પણ અહીં છો.’ શાહીન બાગનાં પ્રદર્શનનાં ઉપરાંત પ્રવેશ વર્માએ સરકારી જમીન પર મસ્જિદનો મુદ્દો પણ ઉઠાવ્યો. પોતાના ભાષણમાં ભાજપ સાંસદે કહ્યું કે દિલ્હીમાં મારી સરકાર બની ગઈ તો 11 તારીખ પછી 1 મહિનાનો સમય મને આપજો. મારા લોકસભા વિસ્તારમાં જેટલી મસ્જિદ સરકારી જમીન પર બની છે તે તમામ મસ્જિદોને હટાવી દઈશું. ’
પહેલા અમિત શાહે પછી કેજરીવાલે કહ્યું હતું આમ
ઉલ્લેખનીય છે કે શાહીન બાગને લઈને અમિત શાહ એક સભામાં બોલ્યા હતાં કે દિલ્હીવાસીઓ એટલા જોરથી ઈવીએમ બટન દબાવો કે કરંટ શાહીન બાગ સુધી લાગે. આ મામલે આપ અને કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો હતો કે શાહીન બાગમાં ટુકડે ટુકડે ગેંગ બેઠી છે. અરવિંદ કેજરીવાલે શાહને વળતો જવાબ આપતા ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘શાહીન બાગનાં કારણે લોકો પરેશાન થઈ રહ્યાં હોય અને સરકાર કંઈ ન કરી રહી હોય તો દિલ્હીના કાયદો વ્યવસ્થા કેન્દ્ર સરકારનાં હાથમાં છે અમિત શાહ કેમ શાહીન બાગમાં જઈને વાત નથી કરતાં. કેજરીવાલે કહ્યું કે ભાજપ 1 કલાકમાં શાહીન બાગ ખાલી કરાવે હું પરમિશન આપું છું. ’