જો આમ આદમી પાર્ટી આજે આવનારા ચૂંટણી પરિણામમાં જીતી જાય છે તો દિલ્હીમાં AAPની સતત ત્રીજી સરકાર બનશે. જો આવું થશે તો દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક વાર ફરી વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીનાં રોજ શપથ ગ્રહણ કરી શકે છે. 8 ફેબ્રુઆરી વિધાનસભા ચૂંટણી યોજાયી હતી જેનાં એક્ઝિટ પોલમાં AAPની જીત દર્શાવવામાં આવી રહી છે. જાણો શું કનેક્શન છે કેજરીવાલનું વેલેન્ટાઈન ડે સાથે.
વર્ષ 2013માં વેલેન્ટાઈન ડેનાં દિવસે AAPની સરકાર પડી હતી
વર્ષ 2015ની 14 ફેબ્રુઆરી AAPની સરકાર બની હતી
આ વર્ષે 14 ફેબ્રુઆરીએ AAP શપથ લઈ શકે છે
જો એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો AAPની આ સતત ત્રીજો કાર્યકાળ હશે. આની સાથે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેની સાથે અરવિંદ કેજરીવાલનું કનેક્શન પણ છતું થાય છે. આ એક સંજોગ હોઈ શકે છે. પરંતુ 2013 અને 2015 બન્ને વર્ષમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વેલેન્ટાઈન ડે કોઈને કોઈ રીતે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલું છે.
2013 દિલ્હી વિધાનસભા ચૂંટણી
2013માં દિલ્હીમાં 4 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી થઈ અને 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર કર્યું હતું. વર્ષ 2012 નવેમ્બરમાં આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ અને પહેલીવાર આ પાર્ટીએ ચૂંટણી લડી હતી. દિલ્હીમાં ભાજપનાં 70માંથી 31, AAPએ 28 અને કોંગ્રેસે 8 સીટ જીતી હતી. AAPએ સરકાર બનાવવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે 28 ડિસેમ્બરે પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સરકાર ફક્ત 49 દિવસ સુધી ચાલી હતી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને AAPની વચ્ચે સંબંધ ખરાબ થઈ ગયા હતાં. કોંગ્રેસે ફક્ત બહારથી જ આ સરકારને સમર્થન AAP કર્યુ હતું. આ બાદ કેજરીવારે રાજીનામુ આપવાનું નક્કી કર્યું હતું અને 14 ફેબ્રુઆરી 2014ના દિવસની પસંદગી કરી હતી. આ સરકાર ફક્ત 49 દિવસ સુધી ચાલી હતી. આ બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
વર્ષ 2015 દિલ્હી વિધાનસભા ચૂંટણી
ચૂંટણી આયોગે 12 જાન્યુઆરી 2015નાં રોજ ચૂંટણીની જાહેરાત કરી હતી અને આ દિવસે AAPનાં પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી હતી કે કેજરીવાલ રમલીલા મેદાનમાં 14 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ કરશે અને થયું પણ એવું જ.
રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી હતી કે, અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાં સતત બીજી વાર દિલ્હીમાં CM તરીકે શપથ લીધા હતા. એક વર્ષ પછી કેજરીવાલે આ દિવસનાં મહત્વને સમજાવતા ટ્વીટ કરી હતી.
તેમણે લખ્યું હતું કે , ‘ગત વર્ષ આ દિવસે દિલ્હીને AAP સાથે પ્રેમ થયો હતો. આ લગાવ બહું મજબૂત અને ક્યારેય પુરો ન થનારો છે.’
વર્ષ 2018માં AAP સરકારે 14 ફેબ્રુઆરીએ 3 વર્ષ પુરા થવા પર એક ફંક્શનનું આયોદન કર્યું હતું. એક શોમાં ડીયૂની વિદ્યાર્થીની કૃતિકાએ કેજરીવાલને વેલેન્ટાઈન ડે વિશ કરીને પૂછ્યું કે જ્યારે એક વર્ગ દેશમાં નફરત ફેલાવી રહ્યો છે, એવામાં AAPની પાસે આ દિવસોમાં યુવાનો માટે કોઈ સંદેશો છે?' કેજરીવાલે તેને જવાબ AAPતા કહ્યું હતું કે, ‘નફરતનો જવાબ નફરત નથી હોતી. નફરતનો જવાબ ફ્ક્ત પ્રેમથી AAPી શકાય છે. ’