દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જણાવી રહ્યા છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર એક વાર ફરી પ્રચંડ બહુમતની સાથે પાછી આવી રહી છે. આ સાથે જ જનતાએ સાબિત કર્યું છે કે તેમને માટે એક જ મુદ્દો મોખરે છે અને તે છે વિકાસ.
દિલ્હીની ચૂંટણીમાં ન ચાલ્યો ભાજપનો જાદુ
દિલ્હીની જનતાએ વિકાસને બનાવ્યો મુદ્દો
એક્ઝિટ પોલમાં ફરી જોવા મળી કેજરીવાલની સરકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાતા ઉમેદવારોનું નસીબ નક્કી કરી ચૂક્યા છે. 8 ફેબ્રુઆરીએ થયેલા મતદાનનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે અને સાથે જ અનેક મુખ્ય મુદ્દા મોખરે રહેશે. એક્ઝિટ પોલના પરિણામ જણાવે છે કે દિલ્હીની ચૂંટણીમાં સૌથી મોટું ફેક્ટર વિકાસ રહ્યું છે.
મતદાતાઓએ આપ્યું વિકાસને મહત્વ
એક્ઝિટ પોલના પરિણામોના આધારે દિલ્હીના લોકોએ વિકાસને પોતાનો મુદ્દો ગણાવ્યો છે. અન્ય નંબરે મોંઘવારી અને ત્રીજા નંબરે બેરોજગારી છે. દિલ્હીના 37 ટકા લોકોએ વિકાસને, 17 ટકાએ મોંઘવારીને અને 14 ટકા લોકોએ બેરોજગારીને મહત્વ આપ્યું છે. રાષ્ટ્રિય સુરક્ષાનો મુદ્દો 6 ટકા લોકોએ જ પ્રાથમિકતા માન્યો હતો.
ભાજપે મુદ્દા પસંદગીમાં કરી મોટી ભૂલ
અન્ય ચૂંટણીની જેમ ભાજપે દિલ્હીની વિધાનસભા ચૂંટણી પણ મોદી સરકારના કામ અને રાષ્ટ્રિય સુરક્ષાના મુદ્દે લડવાની કોશિશ કરી. ભાજપના નેતાઓએ દિલ્હીની ચૂંટણીમાં શાહીનબાગ, સીએએ, એનઆરસી, એનપીઆર, તીન તલાક, પાકિસ્તાન, રાષ્ટ્રભક્તિ, દેશદ્રોહ, કલમ 370 અને સર્જિકલ સ્ટ્રાઈક જેવી વાતોથી લડવાની ભૂલ કરી.
કેજરીવાલે આ મુદ્દે મારી બાજી
કેજરીવાલે આ ચૂંટણીમાં કામ એટલે કે વિકાસ પર ફોકસ કર્યું હતું. કેજરીવાલ હંમેશા કહેતા આવ્યા છે આ ચૂંટણી કામને આધારે લડવામાં આવશે અને જનતા કામને વોટ આપશે. કેજરીવાલે દિલ્હી સરકારને મહોલ્લા ક્લિનિક મુદ્દે લડાઈ લડી. મહોલ્લા ક્લિનિકને આયુષ્માન હેલ્થ કાર્ડથી પણ સારું ગણાવ્યું. આ સિવાય રોજ 200 યૂનિટ ફ્રી લાઈટ, રોજના 700 લિટર ફ્રી પાણીના કામને લોકોએ આમ આદમી પાર્ટી પર ભરોસો વધારવાનું કામ કર્યું. સાથે દિલ્હીની સરકારી બસમાં મહિલાઓને માટે ફ્રી યાત્રાની સુવિધા પણ દિલ્હીની અડધી જનતાને કેજરીવાલને મત આપવા મજબૂર કરી રહી હતી.